US એમ્બેસી બ્લાસ્ટમાં વૉન્ટેડ હતો હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ સહિત અન્ય સાત લોકો માર્યા ગયા
ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.21
ઇઝરાયેલી દળોએ શુક્રવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો, જેમાં હિઝબોલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ, સાત અન્ય લોકો સાથે માર્યા ગયા અને 59 લોકો ઘાયલ થયા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી બેરૂતના દક્ષિણ ભાગમાં આ ત્રીજો હવાઈ હુમલો છે. પ્રદેશમાં ચાલી રહેલ સંઘર્ષ હવે નાટકીય રીતે ગાઝાથી લેબનોન તરફ સ્થળાંતરિત થયો છે.
- Advertisement -
હિઝબુલ્લાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલ તરફથી અભૂતપૂર્વ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આમાં 16 સપ્ટેમ્બરે પેજર હુમલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે હિઝબોલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો સંચાર ઉપકરણો અચાનક વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ ઘટનામાં 37 લોકોના મોત થયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ કહ્યું છે કે પેજર હુમલા પાછળ ઈઝરાયેલનું કાવતરું છે, જોકે ઈઝરાયેલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
ઇબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહના ટોચના લશ્કરી એકમ, રદવાન ફોર્સના વડા હતા. તે ફુઆદ શુકર પછી હિઝબુલ્લાહ સશષા દળોના બીજા કમાન્ડર-ઇન-ચીફ પણ હતા. સાઉદી અલ-હદાથ ચેનલ, હિઝબુલ્લાહના નજીકનાસ્ત્રોતને ટાંકીને, ઇબ્રાહિમ અકીલના મળત્યુની પુષ્ટિ કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, ઇબ્રાહિમ અકીલે હિઝબુલ્લાહની ટોચની લશ્કરી સંસ્થા જેહાદ કાઉન્સિલમાં પણ સેવા આપી હતી.
અકીલ હિઝબોલ્લાહના ઇસ્લામિક જેહાદ સંગઠનનો એક અગ્રણી સભ્ય પણ હતો, જેણે એપ્રિલ 1983માં બેરૂતમાં યુએસ દૂતાવાસ પર બોમ્બ ધડાકા સહિત નોંધપાત્ર હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં 63 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 1983માં યુએસ મરીન કોપ્ર્સ બેરેક પર થયેલા હુમલામાં 241 અમેરિકન કર્મચારીઓ માર્યા ગયા હતા. તે દરમિયાન અકિલે હિઝબુલ્લાહ લડવૈયાઓને લેબનોનમાં અમેરિકન અને જર્મન નાગરિકોને બંધક બનાવવાની સૂચના પણ આપી હતી. એપ્રિલ 2023માં અમેરિકાએ તેના વિશે માહિતી આપનારને 7 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા)ના ઈનામની જાહેરાત કરી હતી.