જૈન વિઝન- વિશ્વ વણિક સામાજિક સંગઠન વણિક સમાજના ખેલૈયાઓ પહેલા નોરતા માટે સજજ
મહાનુભાવોના હસ્તે થશે ઉદઘાટન : નવનાત સાથે જોડાયેલા ત્રણ લાખ વધુ લોકો આ નવરાત્રી મહોત્સવના સહભાગી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવલી નવરાત્રી ના દિવસો નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2024માં આજે રાત્રે ઢોલની પહેલી દાંડી પીટાશે અને યુવા ધન ઝૂમી ઉઠશે. સુંદર વ્યવસ્થા અને નયન રમ્ય લાઇટિંગને કારણે 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં રાત્રે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવો માહોલ ઊભો થશે.
- Advertisement -
નવરાત્રી નવ દિવસનો તહેવાર છે પરંતુ સોનમ નવનાત ગરબા સાથે જોડાયેલા યુવાધનની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને 11 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે.જેની શરૂઆત મંગળવારે ડીજે વોરથી થઇ ગઈ છે અને અંત દશેરાના દિવસ થશે. આજે પહેલા નોરતે સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી ઉપરાંત જીતુભાઈ બેનાણી, ચંદ્રકાન્તભાઈ શેઠ, જયેશભાઈ શાહ અને સુનિલભાઈ શાહ ના હસ્તે આ રાસોત્સવ ખુલ્લો મુકાશે. સાંજ સમાચારના તંત્રી શ્રી પ્રદીપભાઈ શાહ પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ વખતે ખેલૈયાઓને જોશ ભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત અતા ખાન અને ફોક સિંગર તુષાર ત્રિવેદી , મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે તૈયારી કરી રહ્યા છે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવશે જયારે ભાઈઓ માટે ટોકન ફી રાખવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કૂટર,બાઈક,સાઇકલ,ગોલ્ડ જ્વેલરી,ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલ નો અનુભવ થશે.
આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસ્ભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.