શિતળા માતાજીનાં પૂજનનો દિવસ એટલે શીતળા સાતમ શિતળા માતાજીનું શાંતી અને ઠંડકના દેવી છે. શિતળા માતાજીની પૂજા ઉપાસના કરવાથી ઘરમાં શાંતીની પ્રાપ્તી થાય છે. અને નાના બાળકોને બીમારીમાંથી રક્ષણ મળે છે. શિતળા માતાજીના વ્રત કરનારનું આરોગ્ય સારૂ રહે છે.
શ્રાવણ સુદ છઠ્ઠ 22 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ દ્વારા ઘરમાં વડા-પુરી સહિતની ખાધ્યસામગ્રી બનાવી હતી. જ્યારે 23 ઓગસ્ટના રોજ શિતળા સાતમના દિવસે રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વસ્તુઓ આરોગવામાં આવશે. જ્યારે શિતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા ચાલતી આવી છે. જ્યારે સાતમના દિવસે શીતળા માતાની કથા અને પુજા કરવામાં આવતી હોય છે. ગામડાઓમાં માટીથી શીતળા માતાની પ્રતિમા પણ બનાવવામાં આવતી હોય છે. અને ત્યાર બાદ મહિલાઓ સમુહમાં પ્રતિમાંની પુજા કરતી હોય છે. ઉલ્લેખનિય છે કે, શિતળા સાતમ પણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં અલગ- અલગ દિવસે કરવામાં આવતી હોય છે. જેમાં શ્રાવણ સુદ અને શ્રાવણ વદની છઠ્ઠ અને સાતમ કરવામાં આવતી હોય છે.
- Advertisement -
સવારે નિત્ય કર્મકરી અને ચુલા અથવા તો ગેસનું પૂજન કરવું ત્યાર બાદ મંદિરે જઈ અને શ્રીફળ વધેરી અને માતાજીને કુલેર અર્પણ કરવી પ્રાર્થના કરવી અમારા જીવનમાં શિતળાના શાંતીની પ્રાપ્તી થાય આ દિવસે ચુલો સળગાવો નહિ ટાઢૂ ભોજન કરવું તથા શીતળા સાતમના દિવસે ખેડુતોએ પોતાના ઓજારનું પૂજન કરવું પણ ઉતમ છે. આપણા તહેવારો સમયનું મહત્વ ધરાવે છે. કોઈ તહેવારનુંસાંજનું મહત્વ હોય તે સાંજની તિથિ લેવામાં આવે છે.