વનવિભાગ, મનપા દ્વારા વિતરણ, નર્સરીમાં ગાર્ડનીંગના રોપાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
જૂનાગઢ શહેરમાં લોકો દર વર્ષે અંદાજીત 50 હજાર વૃક્ષોનુ વાવેતર કરે છે. જેમાં વન વિભાગ, મહાનગર પાલિકા દ્વારા લોકોને રોપાનુ વિતરણ તેમજ લોકો નર્સરીમાંથી પણ રોપાની વધારે ખરીદી કરી રહ્યા છે. શહેરમાં ઘરની બાલકની, અગાસી, મોટી સોસાયટીના સાર્વજનીક પ્લોટ સહિતના વિસ્તારોમાં વધારે વૃક્ષોનુ વાવેતર થાય છે.
જૂનાગઢ સામાજીક વનીકરણ રેન્જના આરએફઓ એલ.એમ. સુત્રેજાએ જણાવ્યુ કે, જૂનાગઢ શહેરમાં દર વર્ષે વન વિભાગ દ્વારા 10 હજાર, મનપા દ્વારા 15 હજાર રોપાનુ વિતરણ કરાય છે તેમજ છૂટક લોકો નર્સરીમાંથી ખરીદી કરી કુલ એક વર્ષમાં જૂનાગઢ શહેરમાં અંદાજીત 50 હજાર વૃક્ષોનુ વાવેતર થાય છે.
હાલમાં પર્યાવરણ માટે વૃક્ષોનુ વાવેતર ખૂબજ જરૂરી છે. ધીમે- ધીમે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. અસર વધવાનુ મુખ્ય કારણ વૃક્ષોના વાવેતરમાં ઘટાડો છે. આરએફઓએ વિશેષમાં જણાવ્યુ કે, શહેરમાં લોકો ગાર્ડનીંગ માટેના છોડવા વાવવાનુ વધારે પસંદ કરે છે. કારણ કે, વડ, પીપળો, લીબુડી જેવા મોટા વૃક્ષોના વાવેતર માટેની જગ્યાઓ ઓછા પ્રમાણ હોય છે. તેમજ જૂનાગઢ વનવિભાગ દ્વારા 10 હજાર વૃક્ષોના રોપનુ વર્ષે વિતરણ કરાય છે. તેમજ મહાનગર પાલિકા દ્વારા 15 હજારનુ વિતરણ કરાય છે. આમ, જૂનાગઢ શહેરમાં દર વર્ષે અંદાજીત 50 હજાર વૃક્ષો વાવવામાં આવે છે. લોકો વધારે પ્રમાણમાં હજુ વૃક્ષોનુ વાવેતર કરે તેવી તંત્રએ અપીલ કરી છે.