દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉઝવણી કરવામાં આવી રહી છે. કેટલાય વર્ષિઠ રાજનેતાઓએ દેશના લોકોને શુભેચ્છા આપી તેમજ આઝાદી માટે શહીદ થનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલી પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપ્રિમ કોર્ટમાં આયોજીત સંવિધાન દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ઇ-ન્યાયાલય પ્રોજેક્ટ હેઠળ કેટલીય યોજના અને વેબસાઇટની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મુંબઇ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી.
સંવિધાન દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બધા દેશવાસીઓને સંવિધાન દિવસની શુભકામનાઓ. વર્ષ 1949માં આ આજનો જ દિવસ હતો, જ્યારે સ્વતંત્ર ભારતના એક નવા ભવિષ્યની પહેલ કરવામાં આવી. આ વખતે સંવિધાન દિવસ ઘણો ખાસ છે. કારણકે આ વખતે દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. હું આધુનિક ભારતનું સપનું જોનારા બાબા સાહેબ આંબેડકર સહિત સંવિધાન સભાના બધા સભ્યોના, સંવિધાન નિર્માણકર્તાને નમન કરૂ છું.
- Advertisement -
PM Modi launches various new initiatives under e-court project on Constitution Day
Read @ANI Story | https://t.co/RVQdtczISx#ConstitutionDay #ConstitutionDay2022 #PMModi #Modi #DigitalCourt pic.twitter.com/vGpn3SVkt8
— ANI Digital (@ani_digital) November 26, 2022
- Advertisement -
મુંબઇ હુમલાના મૃતકોને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાને કહ્યું કે, આજે 26/11 મુંબઇ હુમલો થયો હતો. 14 વર્ષ પહેલા જયારે ભારત પર સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. મુંબઇ આતંકી હુમલામાં જેમની મૃત્યુ થઇ, તેમને હું શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું.
New opportunities are coming up before India. Crossing all hurdles, it's going ahead. A week from now, India will get G20 presidency. It's big! As Team India, all of us should enhance India's prestige before world & bring its contribution before them. It's our collective duty: PM pic.twitter.com/Zccf2iGcxq
— ANI (@ANI) November 26, 2022
આજે વિશ્વમાં ભારતનું શ્રેષ્ઠ સ્થાન
સંવિધાન દિવસ પર તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત લોકતંત્રની જનની છે. આજની વૈશ્વિક પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. વિકસતી અર્થવ્યવસ્થા અને ભારતની મજબૂત આંતરરાષ્ટ્રીય છબીની દુનિયા આપણને બહુ આશાથી જોઇ રહી છે. આપણા સંવિધાનની પ્રસ્તાવનામાં જ વી ધ પીપલ લખ્યું છે, જે કેવળ ત્રણ શબ્દો જ નથી. વી ધ પીપલ એક આહ્વાન છે, જે એક પ્રતિજ્ઞા છે, અને એક વિશ્વાસ છે. ભારતનું સંવિધાન દુનિયામાં લોકતંત્રની માતા રહ્યું છે, એટલે કે મધર ઓફ ડેમોક્રેસી રહ્યું છે.