ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી દાન કરવાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.
હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો અને તેમના સૃષ્ટિના પહેલા ગુરુ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી દાન કરવાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.
- Advertisement -
ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય
-ગુરુ પૂર્ણિમાના દિવસે માથા પર કેસર અને હળદરનો તિલક કરો. જેથી કુંડળીમાં ગુરુ મજબૂત થશે અને સુખ સમૃદ્ધિ આવશે.
-ગુરુની પૂજા કરીને તેમના આશીર્વાદ લો અને માતા પિતા, દાદા-દાદી સહિત તમામ વડીલના આશીર્વાદ લો.
-સાંજે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો.
-જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક અને સ્ટેશનરીનું દાન કરો. જેથી કરિઅરમાં સફળતાનો યોગ બને છે.