By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    17 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    18 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    19 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    19 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    17 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    17 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    17 hours ago
    દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે
    17 hours ago
    ટોચના માઓવાદી માડવી હિડમા આંધ્ર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    16 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    19 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!
AuthorParakh Bhatt

પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!

Khaskhabar Editor
Last updated: 2022/03/19 at 1:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE
વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું. 

– પરખ ભટ્ટ

બોમ્બ ફૂટે તો શું પરિણામ આવે? ઘણા માણસો ઘાયલ થાય, કેટલાયનો જીવ જાય, સાથે માલ-મિલકતનું નુકશાન તો ખરું જ! જો ફક્ત એક બોમ્બ આટલું નુકશાન કરી શકે, તો જરાક વિચારો કે કોઈક જગ્યાએ ત્રણ હજાર બોમ્બ ફેકવામાં આવે તો! શું હાલત થાય એ સ્થળની? કદાચ આખેઆખું શહેર નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું પણ બને! આપણા દેશમાં એક એવું મંદિર છે, જ્યાં પાકિસ્તાને યુદ્ધ દરમિયાન ત્રણ હજાર બોમ્બ ફેકીને એને તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છતાં એ દેવાલયને કોઈ પ્રકારનું નુકશાન પહોચાડી શક્યું નહીં! એ મંદિર આજે પણ ત્યાંનું ત્યાં જ ઉભું છે.. અડીખમ! આટલા બધા વિસ્ફોટકોથી હુમલો થયા બાદ, કોઈ બાંધકામની ઇંટ સુદ્ધાં ખરે નહીં એ વળી કઈ રીતે શક્ય છે? ‘તનોટ માતા’નું મંદિર. રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે. આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે, તેથી જ હંમેશા શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું. વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ, આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું.

Contents
વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું. – પરખ ભટ્ટ‘તનોટ માતા’નું મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે, આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે

1965ની સાલમાં થયેલાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દુશ્મન દેશની સેનાએ તનોટ પર આક્રમણ કરતા પહેલા બુએલી (કિશનગઢથી 74 કિલોમીટર પૂર્વમાં), સાદેવાલા શાહગઢ પશ્ચિમમાં અને ઉતરમાં અચરી ટીબ્બાથી 6 કિલોમીટર દૂર સુધીના ક્ષેત્ર પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તનોટ ત્રણેય દિશાઓથી ઘેરાયેલું હતું.

- Advertisement -

‘તનોટ માતા’નું મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે, આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે

જો શત્રુ તનોટ ઉપર પોતાનો કબજો કરવામાં સફળ થઇ ગયા હોત, તો રામગઢથી શાહગઢના ભાગ ઉપર ખુદનો હક જમાવી શકે તેમ હતાં, તેથી તનોટ બંને દેશના સૈન્ય માટે બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું.

તારીખ 17 થી 19 નવેમ્બર 1965, તનોટ પર ત્રણે ય દિશાઓમાંથી પાકિસ્તાની સૈન્યએ ભારે વિસ્ફોટકોથી હુમલો શરુ કર્યો! શત્રુઓ તનોટ પર સતત તોપના ગોળા વરસાવી રહ્યા હતા. પ્રતિકારસ્વરૂપે તનોટને બચાવવા માટે, મેજર જય સિંહના હાથમાં જવાબદારી સોપવામાં આવી. ભારતીય સેનાના થોડા સૈનિકો સાથે એ દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતાં.

- Advertisement -

જેસલમેરથી તનોટ તરફ જવાના માર્ગ ઉપર ગનતલી માતાનાં મંદિરની પાસે, પાકિસ્તાનીઓએ એન્ટી-પર્સનલ અને એન્ટી-ટેન્ક માઈન્સ લગાવીને તનોટ તરફ મોકલવામાં આવતી મદદ બંધ કરી દીધી હતી, જેથી ભારતીય સેના ઉપર સરળતાથી વિજય મેળવી શકાય.

પાકિસ્તાની સૈન્ય દ્વારા ત્રણ હજાર બોમ્બ મંદિરની આસપાસ ફેકવામાં આવ્યા, પણ મોટા ભાગના ગોળા અલૌકિક રીતે પોતાના લક્ષ્યની દિશાથી ભટકી ગયા અને બીજી જગ્યા પર જઈને પડ્યા! દુશ્મન સૈન્ય દ્વારા મંદિરને નિશાનો બનાવીને 450 બોમ્બ છોડવામાં આવ્યા, એમ છતાં એક પણ ગોળો મંદિર સુધી પહોંચી શક્યો નહીં! ચમત્કારિક રીતે, ઘણા બોમ્બ મંદિરની આજુબાજુ પડયા અને કેટલાક મંદિરની અંદર પડ્યા, પરંતુ ફૂટ્યા જ નહીં! દેવાલયને વિસ્ફોટકોથી નાનીઅમથી પણ આંચ આવી નહીં અને કોઈ નુકશાન વગર, મંદિર એવું ને એવું ત્યાં સ્થિત રહ્યું.

માતાજી અમારી સાથે છે એવી શ્રદ્ધા સાથે, ઓછી સંખ્યામાં હોવા છતાં આપણા સૈનિકોએ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને હિંમતથી શત્રુઓ પર હુમલો કર્યો અને એમને હરાવી મોતને ઘાટ ઉતારી દીધા. આપણા જવાનો સામે શત્રુ સેના મેદાન છોડીને ભાગી જવા વિવશ થઇ ગઈ. માતાના આશીર્વાદ અને સૈનિકોના આત્મવિશ્વાસથી આપણો વિજય થયો.
એવું કહેવાય છે કે માતાજી સૈનિકોના સ્વપ્નમાં આવી અને કહ્યું કે,જ્યાં સુધી તમે મંદિરની જગ્યામાં રહેશો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ. વર્ષ 1965ની લડાઈ પછી આ મંદિરની જવાબદારી બી.એસ.એફ. (સીમા સુરક્ષા દળ)એ લઇ લીધી, ત્યારપછી એ જગ્યા પર પોતાની એક નવી ચોકી બનાવી. મંદિરની વ્યવસ્થાનો કાર્યભાર પણ બી.એસ.એફ.એ પોતાના હાથમાં લઈ લીધો છે.

થોડા સમય બાદ ફરી, 4 ડિસેમ્બર 1971માં પાકિસ્તાને ભારતના લોંગેવાલા ઉપર ટેન્કોથી હુમલો કર્યો. એ રાતે પંજાબ લશ્કરી છાવણીના સૈનિકો અને બી.એસ.એફ.ની એક સૈન્ય ટુકડીએ મળીને દુશ્મનનો સામનો કર્યો, તેમજ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોંગેવાલા તનોટ માતાના દેવાલયની પાસે જ આવેલું છે. ત્યાં પ્રાપ્ત થયેલાં વિજય બાદ, દેવાલયની જગ્યા નજીક એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં હવે દર વર્ષે 16મી ડિસેમ્બરના દિવસે શહીદ સૈનિકોની યાદમાં ઉત્સવ ઉજવાય છે.

તનોટ માતાને ‘આવડ માતા’ના નામથી પણ પૂજવામાં આવે છે, તથા એમને હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ મનાય છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત છે. પ્રતિ વર્ષ અશ્વિન અને ચૈત્રી નવરાત્રિમાં અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે તથા શ્રદ્ધાળુઓ એમાં ભાગ લે છે.

તનોટ માતા મંદિરના ઇતિહાસની વાત કરીએ, તો પ્રાચીન સમયમાં મામડિયા નામે એક ચારણ હતા. એમને કોઈ સંતાન ન હોવાથી, સંતાન પ્રાપ્ત કરવાની ઝંખનાને લીધે એમણે હિંગળાજ શક્તિપીઠની સાત વખત પદયાત્રા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર માતાએ એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ઈચ્છા પૂછી, તો ચારણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તમે મારે ત્યાં જ્ન્મ લો.

માતાની કૃપાથી ચારણને ત્યાં 7 બાળકીઓ અને એક બાળકનો જન્મ થયો. એ જ સાત બાળકીઓમાંથી એક એટલે આવડ. જેમણે વિક્રમ સંવત 808માં ચારણને ત્યાં જન્મ લીધો અને પોતાના ચમત્કાર બતાવવાનું શરુ કર્યું. સાતે ય બાળકીઓ દૈવીય શક્તિઓ ધરાવતી હતી. તેઓએ હુણોના આક્રમણથી માડ પ્રદેશની રક્ષા કરેલી. માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતોનું નક્કર રાજ્ય સ્થાપિત થયું તેમજ રાજા તણુંરાવ ભાટીએ આ જગ્યાને પોતાની રાજધાની બનાવીને આવડ માતાને સ્વર્ણ સિંહાસન ભેટમાં આપ્યું. વિક્રમ સવંત 828માં આવડ માતાએ પોતાના ભૈતિક શરીરમાં રહેતા અહીં પોતાની સ્થાપના કરી. ત્યારબાદ ત્યાં મંદિરનું નિર્માણ થયું. માતાના મંદિરમાં સેકડો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્જ્વલિત છે, જે આજે પણ ઝળહળી રહી છે.

વર્તમાન સમયમાં પણ મંદિરની દેખરેખ તથા એમાં થતા આયોજનો બી.એસ.એફ.ની એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેનું નામ ‘તનોટ માતા ટ્રસ્ટ’ છે. દેવાલયમાં પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા બોમ્બ જે ફૂટ્યા ન હતા, એ આજે પણ મંદિરમાં બનેલા સંગ્રહાલયમાં ભક્તોના દર્શન હેતુ રાખવામાં આવ્યા છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યોગી આદિત્યનાથ 25 માર્ચે શપથ લેશે
Next Article મૂર્ખ માણસોનાં સૂચનો ખાડામાં નાખી દેવાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
રીસેટ વેલ્થ કંપનીમાં કરોડોની છેતરપિંડી: અટક ન થતાં પીડિતોની કમિશનરને રજૂઆત
‘મને તગડો પગાર મળે છે, તમારું કામ કરી ઉપકાર કરતો નથી’ !
હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?