By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    1 day ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 day ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!
AuthorParakh Bhatt

પાકિસ્તાને ફેકેંલા ત્રણ હજાર બોમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!

Khaskhabar Editor
Last updated: 2022/03/19 at 1:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE
વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું. 

– પરખ ભટ્ટ

બોમ્બ ફૂટે તો શું પરિણામ આવે? ઘણા માણસો ઘાયલ થાય, કેટલાયનો જીવ જાય, સાથે માલ-મિલકતનું નુકશાન તો ખરું જ! જો ફક્ત એક બોમ્બ આટલું નુકશાન કરી શકે, તો જરાક વિચારો કે કોઈક જગ્યાએ ત્રણ હજાર બોમ્બ ફેકવામાં આવે તો! શું હાલત થાય એ સ્થળની? કદાચ આખેઆખું શહેર નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું પણ બને! આપણા દેશમાં એક એવું મંદિર છે, જ્યાં પાકિસ્તાને યુદ્ધ દરમિયાન ત્રણ હજાર બોમ્બ ફેકીને એને તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છતાં એ દેવાલયને કોઈ પ્રકારનું નુકશાન પહોચાડી શક્યું નહીં! એ મંદિર આજે પણ ત્યાંનું ત્યાં જ ઉભું છે.. અડીખમ! આટલા બધા વિસ્ફોટકોથી હુમલો થયા બાદ, કોઈ બાંધકામની ઇંટ સુદ્ધાં ખરે નહીં એ વળી કઈ રીતે શક્ય છે? ‘તનોટ માતા’નું મંદિર. રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે. આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે, તેથી જ હંમેશા શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું. વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ, આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું.

Contents
વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું. – પરખ ભટ્ટ‘તનોટ માતા’નું મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે, આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે

1965ની સાલમાં થયેલાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દુશ્મન દેશની સેનાએ તનોટ પર આક્રમણ કરતા પહેલા બુએલી (કિશનગઢથી 74 કિલોમીટર પૂર્વમાં), સાદેવાલા શાહગઢ પશ્ચિમમાં અને ઉતરમાં અચરી ટીબ્બાથી 6 કિલોમીટર દૂર સુધીના ક્ષેત્ર પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તનોટ ત્રણેય દિશાઓથી ઘેરાયેલું હતું.

- Advertisement -

‘તનોટ માતા’નું મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે, આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે

જો શત્રુ તનોટ ઉપર પોતાનો કબજો કરવામાં સફળ થઇ ગયા હોત, તો રામગઢથી શાહગઢના ભાગ ઉપર ખુદનો હક જમાવી શકે તેમ હતાં, તેથી તનોટ બંને દેશના સૈન્ય માટે બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું.

તારીખ 17 થી 19 નવેમ્બર 1965, તનોટ પર ત્રણે ય દિશાઓમાંથી પાકિસ્તાની સૈન્યએ ભારે વિસ્ફોટકોથી હુમલો શરુ કર્યો! શત્રુઓ તનોટ પર સતત તોપના ગોળા વરસાવી રહ્યા હતા. પ્રતિકારસ્વરૂપે તનોટને બચાવવા માટે, મેજર જય સિંહના હાથમાં જવાબદારી સોપવામાં આવી. ભારતીય સેનાના થોડા સૈનિકો સાથે એ દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતાં.

- Advertisement -

જેસલમેરથી તનોટ તરફ જવાના માર્ગ ઉપર ગનતલી માતાનાં મંદિરની પાસે, પાકિસ્તાનીઓએ એન્ટી-પર્સનલ અને એન્ટી-ટેન્ક માઈન્સ લગાવીને તનોટ તરફ મોકલવામાં આવતી મદદ બંધ કરી દીધી હતી, જેથી ભારતીય સેના ઉપર સરળતાથી વિજય મેળવી શકાય.

પાકિસ્તાની સૈન્ય દ્વારા ત્રણ હજાર બોમ્બ મંદિરની આસપાસ ફેકવામાં આવ્યા, પણ મોટા ભાગના ગોળા અલૌકિક રીતે પોતાના લક્ષ્યની દિશાથી ભટકી ગયા અને બીજી જગ્યા પર જઈને પડ્યા! દુશ્મન સૈન્ય દ્વારા મંદિરને નિશાનો બનાવીને 450 બોમ્બ છોડવામાં આવ્યા, એમ છતાં એક પણ ગોળો મંદિર સુધી પહોંચી શક્યો નહીં! ચમત્કારિક રીતે, ઘણા બોમ્બ મંદિરની આજુબાજુ પડયા અને કેટલાક મંદિરની અંદર પડ્યા, પરંતુ ફૂટ્યા જ નહીં! દેવાલયને વિસ્ફોટકોથી નાનીઅમથી પણ આંચ આવી નહીં અને કોઈ નુકશાન વગર, મંદિર એવું ને એવું ત્યાં સ્થિત રહ્યું.

માતાજી અમારી સાથે છે એવી શ્રદ્ધા સાથે, ઓછી સંખ્યામાં હોવા છતાં આપણા સૈનિકોએ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને હિંમતથી શત્રુઓ પર હુમલો કર્યો અને એમને હરાવી મોતને ઘાટ ઉતારી દીધા. આપણા જવાનો સામે શત્રુ સેના મેદાન છોડીને ભાગી જવા વિવશ થઇ ગઈ. માતાના આશીર્વાદ અને સૈનિકોના આત્મવિશ્વાસથી આપણો વિજય થયો.
એવું કહેવાય છે કે માતાજી સૈનિકોના સ્વપ્નમાં આવી અને કહ્યું કે,જ્યાં સુધી તમે મંદિરની જગ્યામાં રહેશો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ. વર્ષ 1965ની લડાઈ પછી આ મંદિરની જવાબદારી બી.એસ.એફ. (સીમા સુરક્ષા દળ)એ લઇ લીધી, ત્યારપછી એ જગ્યા પર પોતાની એક નવી ચોકી બનાવી. મંદિરની વ્યવસ્થાનો કાર્યભાર પણ બી.એસ.એફ.એ પોતાના હાથમાં લઈ લીધો છે.

થોડા સમય બાદ ફરી, 4 ડિસેમ્બર 1971માં પાકિસ્તાને ભારતના લોંગેવાલા ઉપર ટેન્કોથી હુમલો કર્યો. એ રાતે પંજાબ લશ્કરી છાવણીના સૈનિકો અને બી.એસ.એફ.ની એક સૈન્ય ટુકડીએ મળીને દુશ્મનનો સામનો કર્યો, તેમજ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોંગેવાલા તનોટ માતાના દેવાલયની પાસે જ આવેલું છે. ત્યાં પ્રાપ્ત થયેલાં વિજય બાદ, દેવાલયની જગ્યા નજીક એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં હવે દર વર્ષે 16મી ડિસેમ્બરના દિવસે શહીદ સૈનિકોની યાદમાં ઉત્સવ ઉજવાય છે.

તનોટ માતાને ‘આવડ માતા’ના નામથી પણ પૂજવામાં આવે છે, તથા એમને હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ મનાય છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત છે. પ્રતિ વર્ષ અશ્વિન અને ચૈત્રી નવરાત્રિમાં અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે તથા શ્રદ્ધાળુઓ એમાં ભાગ લે છે.

તનોટ માતા મંદિરના ઇતિહાસની વાત કરીએ, તો પ્રાચીન સમયમાં મામડિયા નામે એક ચારણ હતા. એમને કોઈ સંતાન ન હોવાથી, સંતાન પ્રાપ્ત કરવાની ઝંખનાને લીધે એમણે હિંગળાજ શક્તિપીઠની સાત વખત પદયાત્રા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર માતાએ એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ઈચ્છા પૂછી, તો ચારણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તમે મારે ત્યાં જ્ન્મ લો.

માતાની કૃપાથી ચારણને ત્યાં 7 બાળકીઓ અને એક બાળકનો જન્મ થયો. એ જ સાત બાળકીઓમાંથી એક એટલે આવડ. જેમણે વિક્રમ સંવત 808માં ચારણને ત્યાં જન્મ લીધો અને પોતાના ચમત્કાર બતાવવાનું શરુ કર્યું. સાતે ય બાળકીઓ દૈવીય શક્તિઓ ધરાવતી હતી. તેઓએ હુણોના આક્રમણથી માડ પ્રદેશની રક્ષા કરેલી. માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતોનું નક્કર રાજ્ય સ્થાપિત થયું તેમજ રાજા તણુંરાવ ભાટીએ આ જગ્યાને પોતાની રાજધાની બનાવીને આવડ માતાને સ્વર્ણ સિંહાસન ભેટમાં આપ્યું. વિક્રમ સવંત 828માં આવડ માતાએ પોતાના ભૈતિક શરીરમાં રહેતા અહીં પોતાની સ્થાપના કરી. ત્યારબાદ ત્યાં મંદિરનું નિર્માણ થયું. માતાના મંદિરમાં સેકડો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્જ્વલિત છે, જે આજે પણ ઝળહળી રહી છે.

વર્તમાન સમયમાં પણ મંદિરની દેખરેખ તથા એમાં થતા આયોજનો બી.એસ.એફ.ની એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેનું નામ ‘તનોટ માતા ટ્રસ્ટ’ છે. દેવાલયમાં પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા બોમ્બ જે ફૂટ્યા ન હતા, એ આજે પણ મંદિરમાં બનેલા સંગ્રહાલયમાં ભક્તોના દર્શન હેતુ રાખવામાં આવ્યા છે.

You Might Also Like

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યોગી આદિત્યનાથ 25 માર્ચે શપથ લેશે
Next Article મૂર્ખ માણસોનાં સૂચનો ખાડામાં નાખી દેવાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?