લાડકવાયી દિકરીના લગ્ન નિમિતે 12.5 એકરમાં ઇશ્ર્વરીયા ખાતે વૃંદાવન ધામનું નિર્માણ
સમગ્ર રાજકોટને ‘ગોકુળીયુ’ બનાવવા શ્રેષ્ઠીઓ સંસ્થાઓની 51 સભ્યોની ટીમ કામે લાગી
શાહિ લગ્નોત્સવ પૂર્વ વૈષ્ણવોમાં મનોરથ, ‘ધ્વજાજી’નું સ્વાગત, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોની હારમાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધાના ‘શાહિ’ લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ‘મનોરથ’ તથા શ્રીનાથદ્રારા ‘ધ્વજાજી’ આરોહણનો સમગ્ર રાજકોટની જનતાને લાભ મળે તે માટે સર્વ સમાજના અગ્રણી અને સંસ્થાઓ કાર્યરત બની છે. શ્રી નાથદ્રારા ની ‘ધ્વજાજી’ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી, એવા દ્રારકાધીશના પરમભકત મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્રારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઇ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. 7,8,9, જાન્યુઆરી ના રોજ ત્રિદિવસીય મનોરથ ની ઉજવણી થશે. નાથદ્રારાથી ખાસ ચાર્ટર પ્લેનમાં શ્રી નાથજીની ‘ધ્વજાજી’ નું આગમન થશે. પાટીદાર સમાજના મોભી ડો. ડાયાભાઇ પટેલે તબીબી વ્યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના જીવનમાં સ્વાસ્થય અને સુખનો સરવાળો કર્યો છે. માનવ સેવા એજ ધર્મના સિધ્ધાંતને મૌલેશભાઇ એ પિતા પાસેથી અપનાવી પોતાના વ્યવસાય બાનલેબ થકી તો દેશ-વિદેશમાં ઉદ્યોગપતિ તરીકે અનન્ય સફળતા તો મેળવી જ સાથોસાથ સમાજના દરેક વર્ગ માટે સેવા ની સરવાણી વહાવી પાટીદાર સમાજના મોભી, જાણીતા દાનવીર, મુંઠી ઉંચેરા માનવી તરીકે લોકોના હદયમાં સ્થાન મેળવ્યુ છે. યુવા ઉદ્યોગપતિ, દ્રારકાધીશના પરમ ભકત,જગતમંદિર દ્વારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 100 થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઇ ઉકાણી તથા સોનલબેન ઉકાણી ની લાડકી દિકરી ચિ. રાધાના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગૃહ, દાતા પરિવાર નીતીનભાઇ પોપટભાઇ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે. તે પૂર્વે ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરવામાં આવ્યુ છે.
સૌરાષ્ટ્રમાં ધણા લાંબા વર્ષોના અંતરાલ પછી શ્રી નાથજી ‘ધ્વજા’ આરોહણનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રસંગનું વૈષ્ણવોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. ઉકાણી પરિવારના લગ્ન પૂર્વ યોજાનારા ‘મનોરથ’ તથા ધ્વજાજી આરોહણમાં જાહેર જનતાને પધારવા મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન પરિવારના આમંત્રણ બાદ રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓ દ્રારા ‘સ્વયંભૂ’ જોડાઇને રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ અવસરનો વધુને વધુ લાભ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે. શ્રીનાથજીની ધ્વજા આરોહણ અને મનોરથ પ્રસંગને ભવ્ય-દિવ્ય બનાવવા માટે રાજકોટના વિવિધ સમાજો-સંસ્થાઓના અગ્રણીઓ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઇ કોટડીયા, મુકેશભાઇ શેઠ, મનસુખભાઇ પાણ, કિરીટભાઇ આદ્રોજા, ભરતભાઇ ડઢાણીયા, હરીશભાઇ લાખાણી, સર્વાનંદભાઇ સોનવાણી, મનીષભાઇ માદેકા, ગુણુભાઇ ડેલાવાલા, પ્રભુદાસભાઇ પારેખ, જે.કે.પટેલ, ધનશ્યામભાઇ હેરભા, યુસુફભાઇ માકડા, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, અજયભાઇ પટેલ, પરિમલભાઇ પરડવા, હરીસિંહ સુચરીયા, રમેશભાઇ ઠકકર, રાજુભાઇ પોબારૂ, મીતલભાઇ ખેતાણી, કિરણભાઈ છૈયા, ભાગ્યેશભાઇ વોરા, જીતુભાઇ કોઠારી, વિજયભાઇ દેસાણી, અનુપમભાઇ દોશી, કલ્પેશભાઇ ઉકાણી, સુનીલભાઇ વોરા, નલીનભાઇ તન્ના, વિજયભાઇ ડોબરીયા, કિશોરભાઇ રાઠોડ, દેવાંગભાઇ માકડ, નિરજભાઇ પટેલ, ચંદુભાઇ પરમાર, ઉપેનભાઇ મોદી, શૈલેષભાઇ જાની, જીજ્ઞેશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ જીવાણી, બીપીનભાઇ બેરા, જીજ્ઞેશભાઇ આદ્રોજા, માધાંતાસિંહ જાડેજા, રમેશભાઇ રાણીપા, ચંદુભાઇ ખાનપરા, પુનીતભાઇ ચોવટીયા, રાજુભાઇ કાલરીયા, રાજનભાઇ વડાલીયા, સમીરભાઇ હાંસલીયા, જીતભાઇ શાપરીયા, જયેશભાઇ વાછાણી સહીત 51 સભ્યોની ટીમ કામે લાગી છે.
6 જાન્યુ.ના રોજ યોજાનારી ધર્મયાત્રા અંગે વિગત આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શિક્ષણ જગતના ડી.બી. મહેતા, જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઇ કોટડીયા એ જણાવ્યુ હતુ કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા દાનવીર- દાતા શ્રી મૌલેશભાઇ ઉકાણી પરિવારમાં લગ્નોત્સવ પૂર્વ યોજાનારા મનોરથ તથા શ્રીનાથદ્રારા ની ‘ધ્વજાજી’ નો અલૌકિક અવસર રાજકોટની જનતા માટે એક યાદગાર સંભારણું બની રહેશે. આ અવસરે સમગ્ર રાજકોટને ‘ગોકળીયું બનાવવા કામગીરી શરૂ થઇ છે. આગામી તા. 6 જાન્યુઆરી એ બપોરે ત્રણ વાગ્યે શ્રી નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ‘ધ્વજાજી’ આવશે ત્યારે એરપોર્ટ થી 21 ગાડીઓના કાફલ સાથે ‘ધ્વજાજી’ ને કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે લઇ જવાશે જયાં ભવ્યાતિભવ્ય સ્વાગત થશે. ત્યારબાદ ફરીવાર ‘ધ્વજાજી’ ને ર1 ગાડીઓના કાફલા સાથે 150 ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના છેડે ડુંગર દરબાર ખાતે લઇ જવાશે. જયાંથી પદયાત્રા રૂપે ધર્મયાત્રા શરૂ થશે. શ્રી નાથજીની ‘ધ્વજાજી’ સાથે ત્રણ વિન્ટેજ કાર, ત્રણ બગીઓ, ખેડી ગૌ શાળાની 84 યુવાનોની રાસ મંડળી, બે ડી.જે., સહીત વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતા પદયાત્રા સ્વરૂપે ધર્મયાત્રામાં જોડાશે. આ ધર્મયાત્રા ડુંગર દરબારથી નાનામૌવા સર્કલ, નાનમૌવા રોડ, આલાપ ટવીન્ ટાવર, અલય પાર્ક, હરીદ્વાર હાઇટસ્ થઇ સ્પીડવેલ ચોક થઇ ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ સુધીની વિશાળ શોભાયાત્રા યોજાશે. આગામી તા. 7,8,9 જાન્યુ. ઇશ્વરીયા ખાતે ઉકાણી પરિવારના દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા ત્રિદિવસીય મનોરથમાં જાહેર જનતાને દર્શનનો લાભ લેવા બાન લેબ ઉકાણી પરિવારના શ્રી મૌલેશભાઇ ઉકાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. રાજકોટના વિવિધ સમાજ-સંસ્થાઓ દ્રારા શ્રીનાથજીની ધ્વજાજી ને રંગેચંગે વધાવા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.



