31 ઓગસ્ટના સવારે 7:06 સુધી શ્રાવણ પૂર્ણિમા : 30 ઓગસ્ટના સવારે 10:59થી પૂનમ પરંતુ વિષ્ટિને પગલે રાત્રે 9:05થી રાખડી બાંધવાનું મુહૂર્ત
ખાસ-ખબર સંવાદદાતા
ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે. શ્રાવણ સુદ 15 આ વખતે 30 ઓગસ્ટ બુધવારના સવારે 10:59થી શરૂ થાય છે અને તે 31 ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે 7:06 સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ વિષ્ટિ રાત્રે 9:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણ ને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કરણસર વિષ્ટિના પૂંછના સમયને ધ્યાનમાં લેવામાં પણ આવે છે. 31 ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી, માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમાં રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે.
- Advertisement -
જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે. નિશિથ કાળ પહેલા – જ્યોતિષ ગણિત મુજબ કુંડળીમાં ચોથે સૂર્ય ને મધ્ય રાત્રીની શરૂઆત કહી છે. આ સમય માં રાખડી બાંધવી યોગ્ય જણાઈ રહી છે છતાં સ્થાનિક વિદ્વાનો ના માર્ગદર્શન મુજબ પણ આ અંગે વિચાર કરવો વ્યવહારુ કહી શકાય. ભદ્ર કાળમાં રાખડી કેમ નથી બાંધવામાં એની તો આ માટે એવું કહેવાય છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો અને એટલે જ એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે બહેનોએ ભદ્રકાળમાં ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને એને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.