વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધન
પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે તેમના 8 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી હતી. આર્થિક વિકાસથી લઈને સ્ટાર્ટઅપ સુધી, લોકલ ફોર વોકલ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ઉઇઝ) અને કલમ 370 દૂર કરવી. આ દરમિયાન તેમણે કોંગ્રેસની પાછલી સરકારોનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે એક એવો પંજો હતો જે એક રૂપિયામાંથી 85 પૈસા ઘસી નાખતો હતો. તેમણે કહ્યું કે આજે કેન્દ્ર અને રાજ્યોની 10 હજાર સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે.
ગવર્નન્સમાં ટેક્નોલોજીના સમાવેશનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ન્યૂ ઈન્ડિયાની રાજકીય ઈચ્છાશક્તિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આજે જે રીતે ભારતમાં શાસનમાં ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તે ન્યૂ ઈન્ડિયાની નવી રાજકીય ઈચ્છાશક્તિ પણ દર્શાવે છે અને લોકશાહીની ડિલિવરી-ક્ષમતાનો પણ પુરાવો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની 10 હજાર સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. સરકારી મદદ હોય, શિષ્યવૃત્તિ હોય, ખેડૂતને પાકની કિંમત હોય, બધું હવે સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે હવે કોઈ વડાપ્રધાનને એવું કહેવું નહીં પડે કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, લોકોને માત્ર 15 પૈસા મળે છે. તેમણે કટાક્ષમાં પૂછ્યું, ‘એ કયો પંજો હતો જે 85 પૈસા ઘસી નાખતો હતો?’ ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ભારતમાં ક્યાંય પણ મુસાફરી કરતી વખતે ખિસ્સામાં રોકડ રાખવાની મજબૂરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.પીએમએ કહ્યું કે આ વર્ષે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તેઓ દેશના પહેલા વડાપ્રધાન છે જેનો જન્મ અદાઝ હિન્દુસ્તાનમાં થયો હતો. જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે.