By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિઝા ફી વધારાના ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને અસર
    4 hours ago
    nvidia વિશ્ર્વની પ્રથમ કંપની બની, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 4 લાખ કરોડ ડોલરને પાર
    4 hours ago
    ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
    6 hours ago
    23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
    7 hours ago
    રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે
    3 hours ago
    શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે
    6 hours ago
    પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
    7 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
    8 hours ago
    હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    3 hours ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    1 day ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    2 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    5 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 day ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    2 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    5 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    1 week ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    9 hours ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    6 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
રાષ્ટ્રીય

કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 5:50 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

કોરોનાનાં સૌથી વધુ કેસ મુંબઇ અને કેરળમાં

ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ, જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી : નિષ્ણાંતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતમાં 12થી 18 મે દરમિયાન 164 નવા કોવિડ કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 19 મેના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જોકે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા કેસો ગંભીર નથી. આમાં હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર રહેતી નથી.
મુંબઈ સ્થિત ચેપી રોગના નિષ્ણાત ડો. ઈશ્વર ગિલાડા કહે છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, શ્વસન રોગ અથવા કેન્સર હોય અને તેને કોવિડ થાય તો પછી આપણે તેને સીધા કોવિડને કારણે મૃત્યુ કહી શકીએ નહીં. આને પહેલાંથી હાજર મોટા રોગને કારણે જ મૃત્યુ ગણવામાં આવશે. આ દુવિધા હંમેશાં થાય છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યમાં 182 કોવિડ કેસ નોંધાયા હતા. આમાં કોટ્ટાયમમાં સૌથી વધુ 57 કેસ મળ્યા હતા. એર્નાકુલમમાં 34 અને તિરુવનંતપુરમમાં 30 કેસ નોંધાયા હતા.

રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સાઉથ-ઈસ્ટ એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી કેરળમાં પણ કેસો વધી શકે છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દેશોમાં ઓમિક્રોન ઉંગ.1, કઋ.7 અને ગઇ 1.8 વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. તેઓ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ આ કોરોના એટલો ગંભીર નથી.
ડો. ગિલાડા સમજાવે છે, ‘ભારતમાં કોવિડની ત્રીજી લહેર (ઓમિક્રોન લહેર)માં લગભગ દરેકને ચેપ લાગ્યો હતો.’ તેથી ભારતના લોકો એનાથી રોગપ્રતિકારક બન્યા. સિંગાપોર અને હોંગકોંગમાં બીજી લહેરમાં ઘણા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. બીજી લહેરમાં ડેલ્ટા એક અલગ પ્રકાર હતો, એટલે 2023થી ઓમિક્રોનને કારણે ઘણા દેશોમાં કોવિડના કેસોમાં સમયાંતરે વધારો થયો, પરંતુ ભારતમાં કેસોમાં વધારો થયો નહીં.

- Advertisement -

તેઓ આગળ કહે છે, ‘હાલના કેસ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ ઉંગ-1ના છે. આપણે બહુ ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ અહીં પહોંચ્યો, ત્યાં સુધીમાં ભારતમાં મોટા ભાગના લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. આના કારણે લોકોએ રોગપ્રતિકારક શક્તિ મેળવી છે. રસી અને વાઇરસ બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ ગઈ છે. જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

જોકે ડો. ગિલાડા કહે છે કે ભારતમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ તૈયારી હોવી જોઈએ. નવા વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવું જોઈએ. દેખરેખ વધારવી જોઈએ. ગભરાટ ઓછો કરવો જોઈએ. મહામારી દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી એનો અમલ થવો જોઈએ. કોવિડના કેસ ફરી કેમ વધી રહ્યા છે? આ અંગે ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ન્યુરોલોજીના ચીફ ડો. પ્રવીણ ગુપ્તા કહે છે, ’વાઇરસમાં પોતાને પરિવર્તિત (મ્યુટેટ) કરવાની ક્ષમતા છે.’ જ્યારે એ પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. આ કારણે લોકો ચેપગ્રસ્ત થાય છે.

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 21 નવા કેસ : કુલ આંકડો 34

બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.

હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી.
બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો ઉંગ.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”

You Might Also Like

ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે

શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે

પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો

હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

TAGGED: Corona virus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
Next Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે
શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટ ST બસપોર્ટ પર મુસાફર-વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં હાલાકી
પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
જુદા-જુદા છ દરોડામાં 10 કિલો 700 ગ્રામ ગાંજા સાથે છ શખસોની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસરાષ્ટ્રીય

ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?