કોરોનાનાં સૌથી વધુ કેસ મુંબઇ અને કેરળમાં
ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ, જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી : નિષ્ણાંતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
ભારતમાં 12થી 18 મે દરમિયાન 164 નવા કોવિડ કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 19 મેના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જોકે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા કેસો ગંભીર નથી. આમાં હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર રહેતી નથી.
મુંબઈ સ્થિત ચેપી રોગના નિષ્ણાત ડો. ઈશ્વર ગિલાડા કહે છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, શ્વસન રોગ અથવા કેન્સર હોય અને તેને કોવિડ થાય તો પછી આપણે તેને સીધા કોવિડને કારણે મૃત્યુ કહી શકીએ નહીં. આને પહેલાંથી હાજર મોટા રોગને કારણે જ મૃત્યુ ગણવામાં આવશે. આ દુવિધા હંમેશાં થાય છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યમાં 182 કોવિડ કેસ નોંધાયા હતા. આમાં કોટ્ટાયમમાં સૌથી વધુ 57 કેસ મળ્યા હતા. એર્નાકુલમમાં 34 અને તિરુવનંતપુરમમાં 30 કેસ નોંધાયા હતા.
રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સાઉથ-ઈસ્ટ એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી કેરળમાં પણ કેસો વધી શકે છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દેશોમાં ઓમિક્રોન ઉંગ.1, કઋ.7 અને ગઇ 1.8 વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. તેઓ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ આ કોરોના એટલો ગંભીર નથી.
ડો. ગિલાડા સમજાવે છે, ‘ભારતમાં કોવિડની ત્રીજી લહેર (ઓમિક્રોન લહેર)માં લગભગ દરેકને ચેપ લાગ્યો હતો.’ તેથી ભારતના લોકો એનાથી રોગપ્રતિકારક બન્યા. સિંગાપોર અને હોંગકોંગમાં બીજી લહેરમાં ઘણા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. બીજી લહેરમાં ડેલ્ટા એક અલગ પ્રકાર હતો, એટલે 2023થી ઓમિક્રોનને કારણે ઘણા દેશોમાં કોવિડના કેસોમાં સમયાંતરે વધારો થયો, પરંતુ ભારતમાં કેસોમાં વધારો થયો નહીં.
- Advertisement -
તેઓ આગળ કહે છે, ‘હાલના કેસ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ ઉંગ-1ના છે. આપણે બહુ ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ અહીં પહોંચ્યો, ત્યાં સુધીમાં ભારતમાં મોટા ભાગના લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. આના કારણે લોકોએ રોગપ્રતિકારક શક્તિ મેળવી છે. રસી અને વાઇરસ બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ ગઈ છે. જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જોકે ડો. ગિલાડા કહે છે કે ભારતમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ તૈયારી હોવી જોઈએ. નવા વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવું જોઈએ. દેખરેખ વધારવી જોઈએ. ગભરાટ ઓછો કરવો જોઈએ. મહામારી દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી એનો અમલ થવો જોઈએ. કોવિડના કેસ ફરી કેમ વધી રહ્યા છે? આ અંગે ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ન્યુરોલોજીના ચીફ ડો. પ્રવીણ ગુપ્તા કહે છે, ’વાઇરસમાં પોતાને પરિવર્તિત (મ્યુટેટ) કરવાની ક્ષમતા છે.’ જ્યારે એ પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. આ કારણે લોકો ચેપગ્રસ્ત થાય છે.
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 21 નવા કેસ : કુલ આંકડો 34
બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ
ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર
ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.
કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.
હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી.
બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો ઉંગ.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”