By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    1 day ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    1 day ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    4 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    4 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    11 minutes ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    27 minutes ago
    Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
    40 minutes ago
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    1 day ago
    ભારત જ્યાંથી ‘શ્રેષ્ઠ ડીલ’ મળશે ત્યાંથી તેલ ખરીદશે: રશિયામાં ભારતીય રાજદૂત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    21 hours ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    24 hours ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    4 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    7 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    24 hours ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    1 day ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    4 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    6 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 hours ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    23 hours ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    3 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    21 hours ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    5 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    6 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    6 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
રાષ્ટ્રીય

કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 5:50 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

કોરોનાનાં સૌથી વધુ કેસ મુંબઇ અને કેરળમાં

ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ, જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી : નિષ્ણાંતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતમાં 12થી 18 મે દરમિયાન 164 નવા કોવિડ કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 19 મેના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જોકે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા કેસો ગંભીર નથી. આમાં હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર રહેતી નથી.
મુંબઈ સ્થિત ચેપી રોગના નિષ્ણાત ડો. ઈશ્વર ગિલાડા કહે છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, શ્વસન રોગ અથવા કેન્સર હોય અને તેને કોવિડ થાય તો પછી આપણે તેને સીધા કોવિડને કારણે મૃત્યુ કહી શકીએ નહીં. આને પહેલાંથી હાજર મોટા રોગને કારણે જ મૃત્યુ ગણવામાં આવશે. આ દુવિધા હંમેશાં થાય છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યમાં 182 કોવિડ કેસ નોંધાયા હતા. આમાં કોટ્ટાયમમાં સૌથી વધુ 57 કેસ મળ્યા હતા. એર્નાકુલમમાં 34 અને તિરુવનંતપુરમમાં 30 કેસ નોંધાયા હતા.

રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સાઉથ-ઈસ્ટ એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી કેરળમાં પણ કેસો વધી શકે છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દેશોમાં ઓમિક્રોન ઉંગ.1, કઋ.7 અને ગઇ 1.8 વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. તેઓ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ આ કોરોના એટલો ગંભીર નથી.
ડો. ગિલાડા સમજાવે છે, ‘ભારતમાં કોવિડની ત્રીજી લહેર (ઓમિક્રોન લહેર)માં લગભગ દરેકને ચેપ લાગ્યો હતો.’ તેથી ભારતના લોકો એનાથી રોગપ્રતિકારક બન્યા. સિંગાપોર અને હોંગકોંગમાં બીજી લહેરમાં ઘણા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. બીજી લહેરમાં ડેલ્ટા એક અલગ પ્રકાર હતો, એટલે 2023થી ઓમિક્રોનને કારણે ઘણા દેશોમાં કોવિડના કેસોમાં સમયાંતરે વધારો થયો, પરંતુ ભારતમાં કેસોમાં વધારો થયો નહીં.

- Advertisement -

તેઓ આગળ કહે છે, ‘હાલના કેસ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ ઉંગ-1ના છે. આપણે બહુ ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ અહીં પહોંચ્યો, ત્યાં સુધીમાં ભારતમાં મોટા ભાગના લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. આના કારણે લોકોએ રોગપ્રતિકારક શક્તિ મેળવી છે. રસી અને વાઇરસ બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ ગઈ છે. જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

જોકે ડો. ગિલાડા કહે છે કે ભારતમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ તૈયારી હોવી જોઈએ. નવા વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવું જોઈએ. દેખરેખ વધારવી જોઈએ. ગભરાટ ઓછો કરવો જોઈએ. મહામારી દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી એનો અમલ થવો જોઈએ. કોવિડના કેસ ફરી કેમ વધી રહ્યા છે? આ અંગે ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ન્યુરોલોજીના ચીફ ડો. પ્રવીણ ગુપ્તા કહે છે, ’વાઇરસમાં પોતાને પરિવર્તિત (મ્યુટેટ) કરવાની ક્ષમતા છે.’ જ્યારે એ પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. આ કારણે લોકો ચેપગ્રસ્ત થાય છે.

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 21 નવા કેસ : કુલ આંકડો 34

બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.

હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી.
બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો ઉંગ.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”

You Might Also Like

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર

સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 

ભારત જ્યાંથી ‘શ્રેષ્ઠ ડીલ’ મળશે ત્યાંથી તેલ ખરીદશે: રશિયામાં ભારતીય રાજદૂત

TAGGED: Corona virus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
Next Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
ચોટીલાના સાલખડા ગામે દેશી દારૂ સાથે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
ભયંકર વિસ્ફોટથી અનેક મકાનો અને વાહનોને નુકસાન
રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?