By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    12 minutes ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    42 minutes ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    21 hours ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    1 day ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    42 minutes ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ
    22 hours ago
    વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર
    22 hours ago
    ગિફ્ટ સિટીમાં ‘છૂટથી દારૂ પીવાની ગિફ્ટ’
    22 hours ago
    દિલ્હીમાં ટઇંઙનો બાંગ્લાદેશ હાઈ કમિશનને ઘેરાવ-વિરોધ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    1 hour ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    1 day ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    2 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    6 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
રાષ્ટ્રીય

કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 5:50 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

કોરોનાનાં સૌથી વધુ કેસ મુંબઇ અને કેરળમાં

ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ, જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી : નિષ્ણાંતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતમાં 12થી 18 મે દરમિયાન 164 નવા કોવિડ કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 19 મેના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જોકે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા કેસો ગંભીર નથી. આમાં હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર રહેતી નથી.
મુંબઈ સ્થિત ચેપી રોગના નિષ્ણાત ડો. ઈશ્વર ગિલાડા કહે છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, શ્વસન રોગ અથવા કેન્સર હોય અને તેને કોવિડ થાય તો પછી આપણે તેને સીધા કોવિડને કારણે મૃત્યુ કહી શકીએ નહીં. આને પહેલાંથી હાજર મોટા રોગને કારણે જ મૃત્યુ ગણવામાં આવશે. આ દુવિધા હંમેશાં થાય છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યમાં 182 કોવિડ કેસ નોંધાયા હતા. આમાં કોટ્ટાયમમાં સૌથી વધુ 57 કેસ મળ્યા હતા. એર્નાકુલમમાં 34 અને તિરુવનંતપુરમમાં 30 કેસ નોંધાયા હતા.

રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સાઉથ-ઈસ્ટ એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી કેરળમાં પણ કેસો વધી શકે છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દેશોમાં ઓમિક્રોન ઉંગ.1, કઋ.7 અને ગઇ 1.8 વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. તેઓ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ આ કોરોના એટલો ગંભીર નથી.
ડો. ગિલાડા સમજાવે છે, ‘ભારતમાં કોવિડની ત્રીજી લહેર (ઓમિક્રોન લહેર)માં લગભગ દરેકને ચેપ લાગ્યો હતો.’ તેથી ભારતના લોકો એનાથી રોગપ્રતિકારક બન્યા. સિંગાપોર અને હોંગકોંગમાં બીજી લહેરમાં ઘણા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. બીજી લહેરમાં ડેલ્ટા એક અલગ પ્રકાર હતો, એટલે 2023થી ઓમિક્રોનને કારણે ઘણા દેશોમાં કોવિડના કેસોમાં સમયાંતરે વધારો થયો, પરંતુ ભારતમાં કેસોમાં વધારો થયો નહીં.

- Advertisement -

તેઓ આગળ કહે છે, ‘હાલના કેસ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ ઉંગ-1ના છે. આપણે બહુ ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ અહીં પહોંચ્યો, ત્યાં સુધીમાં ભારતમાં મોટા ભાગના લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. આના કારણે લોકોએ રોગપ્રતિકારક શક્તિ મેળવી છે. રસી અને વાઇરસ બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ ગઈ છે. જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

જોકે ડો. ગિલાડા કહે છે કે ભારતમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ તૈયારી હોવી જોઈએ. નવા વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવું જોઈએ. દેખરેખ વધારવી જોઈએ. ગભરાટ ઓછો કરવો જોઈએ. મહામારી દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી એનો અમલ થવો જોઈએ. કોવિડના કેસ ફરી કેમ વધી રહ્યા છે? આ અંગે ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ન્યુરોલોજીના ચીફ ડો. પ્રવીણ ગુપ્તા કહે છે, ’વાઇરસમાં પોતાને પરિવર્તિત (મ્યુટેટ) કરવાની ક્ષમતા છે.’ જ્યારે એ પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. આ કારણે લોકો ચેપગ્રસ્ત થાય છે.

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 21 નવા કેસ : કુલ આંકડો 34

બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.

હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી.
બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો ઉંગ.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”

You Might Also Like

બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ

વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર

ગિફ્ટ સિટીમાં ‘છૂટથી દારૂ પીવાની ગિફ્ટ’

દિલ્હીમાં ટઇંઙનો બાંગ્લાદેશ હાઈ કમિશનને ઘેરાવ-વિરોધ

TAGGED: Corona virus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
Next Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ISRO એ રચ્યો ઇતિહાસ, નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-2 લોન્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
ચાંદીમાં એકઝાટકે ₹ 3700ના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક
વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
જૂનાગઢમાં સાયબર ક્રાઈમ: જોખમ, જાગૃતિ અને જાળવણી વિષય પર વ્યાખ્યાન યોજાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાષ્ટ્રીય

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?