ક્ષત્રિય યુવક પર આંઠ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો : ટ્રકમાં તોડફોડ કરી ધમકી, બંને પક્ષે તાલુકા પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
ગોંડલના ભુણાવા પાટીયે ક્રેનના ધંધા મામલે બે ક્ષત્રિય જૂથ વચ્ચે મારામારી, વાહનોમાં તોડફોડ થતાં ચકચાર મચી ગઈ હતી. મોડી રાતે ભુણાવાના યુવક પર આઠ શખ્સોએ પાઈપ અને ધોકાથી હુમલો કર્યા બાદ સમાધાનમાં પણ ડખ્ખો થતાં મારમારી થઈ હતી. જ્યારે સામાપક્ષે પણ ટ્રકમાં તોડફોડ કરી ધમકી આપી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ
ધરી હતી.
- Advertisement -
બનાવ અંગે ગોંડલના ભુણાવા ગામે મોટા મહીકા રોડ પર રહેતા વિશ્વરાજસિંહ ઉર્ફે શનીભાઇ ભાઈ ભરતસિંહ જાડેજા ઉ.30એ ભુણાવાના ક્રુષ્ણપાલસિંહ વિજયસીંહ જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા હડમતીયાના અજયસિંહ કેશુભા જાડેજા, મયુરસિંહ રાજેદ્રસિંહ જાડેજા અને દિગપાલસિંહ કેશુભા જાડેજા, પાટીયાળીના અજયસિંહ અજુભાનો સાળો, દુષ્યંતસિંહ ઉર્ફે ભોલુ અને ગોંડલના ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સામે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બીલીયાળામાં ઘર ઢાબા પેટ્રોલ પંપ આવેલ છે ત્યાં નોકરી કરે છે ગઈ તા. 05/12/2024 ના તે પેટ્રોલપંપ પર નોકરી પર હતો ત્યારે રાત્રિના કૃષ્ણપાલસિંહ જાડેજા, અજયસિંહ ઉર્ફે અજુબા જાડેજા ઓફિસમાં અંદર ઘસી આવેલ અને કહેલ કે, આપણે વાતચીત કરવી છે જેથી બહાર આવો તેમ વાત કરતા તે પેટ્રોલપંપનો હિસાબ કરી ઓફિસની બહાર રોડ બાજુ ગયેલ અને તે કૃષ્ણરાજસિંહ અને અજયસિંહ સાથે ક્રેનના ધંધા બાબતે વાતચીત દરમ્યાન કહેલ કે, અમારા વિસ્તારમાં કારખાના આવેલ છે ત્યાં ટ્રેનનો ધંધો હું કરીશ અને તમારા વિસ્તારમાં મારી ક્રેન નહીં આવે તે બાબતે વાતચીત કરતા હતા તેવામાં આત્યારે બંને શખ્સો ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન અજયસિંહનો સાળો ધસી આવેલ અને પાઇપથી હુમલો કરી માથાના ભાગે ઘા ઝીંકી દિધા હતાં દરમિયાન ભાણુભા નામનો શખ્સ પણ દોડી આવેલ અને ઢીકાપાટાનો મૂઢ માર માર્યો હતો દેકારો થતા પેટ્રોલપંપમાં કામ કરતાં લોકો દોડી આવેલ અને વધુ માર મારથી છોડાવેલ હતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં.
જ્યારે સામા પક્ષે ભુણાવામાં રહેતાં વિજયસિંહ બચુભા જાડેજા ઉ.49એ ભરતસિંહ બચુભા જાડેજા, સિદ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસીહ ભરતસિંહ જાડેજા સામે વળતી ફરિયાદ નોંધાવેલ જેમાં જણાવ્યું હતું કે ભુણાવા ગામના પાટીયા પાસે શીવ ટ્રાન્સપોર્ટ નામની ઓફીસમાં ટ્રાન્સપોર્ટને લગત વેપાર ધંધો કરે છે ગઇ તા.05 ના તેમને તેમના દીકરા સાથે ક્રેનના ભાગીદાર અજયસિંહ ઉર્ફે અજુભા જાડેજાનો ફોન આવેલ કે, ભુણાવા પાટીયા પાસે વિશ્વરાજસિંહ, ભરતસિંહ સહિતના લોકો સાથે માથાકુટ થયેલ છે, તેમ વાત કરતા તેઓ અજયસિંહ ઉર્ફે અજુભાની ઓફીસે ગયેલ અને માથાકુટ બાબતે પુછતા જણાવેલ કે, આપણી ક્રેન ભુણાવા બાજુ ભાડે મોકલતા હોય તે વિશ્વરાજસિંહ ઉર્ફે શનીને ગમતુ ન હોય જેથી તેઓ આપણી ક્રેન ભુણાવા બાજુ ભાડે નહી આપવાનુ કહેતાં તેમને કહેલ કે, એક બીજાને ભાડા મળે ત્યા જવાનુ હોય છે, જે બાબતે બોલાચાલી અને માથાકુટ થયેલી હતી. ઝપાઝપીમા વિશ્વરાજસિંહને થોડુ લાગી ગયેલ અને તેને દવાખાને લઈ ગયેલ છે બીજા દિવસે સવારના ગોંડલ હતાં ત્યારે જાણવા મળેલ કે, મારે ભુણાવા ગામે શીવ ડ્રીંન્કીંગ વોટર નામનો પ્લાન્ટ આવેલ હોય જેમાંથી ટ્રક બોટલો ભરીને ગામમા ડીલેવરી કરવા ગયેલ હોય ત્યારે ગામના પાદરમા ગાડીના કાચ ગામના સિધ્ધરાજસિંહ નિરૂભા સહિતના શખ્સોએ તોડી નાંખેલ હતાં. ડ્રાઇવરને તે શખ્સોએ કહેલ કે, કાલે તમારા માણસોએ અમારા છોકરાઓને મારેલ છે,
તમને ના પાડવા છતા તમારી ક્રેન અમારા વિસ્તારમા ભાડે લાવો છો, તેમ કહી ગાળો દેવા લાગેલ અને કહેલ કે, આજે તો માત્ર ગાડીના કાચ તથા ટાયર તોડેલ છે પરંતુ હવે પછી અમારા છોકરાઓ કે અમારા માણસો સામે પણ જોયેલ છે તો જીવતા રહેશો નહી અને હવે પછી તમારી ક્રેન અ મારા વિસ્તારમાં ભાડે આપેલ છે તો મજા રહેશે નહી અને તેનુ પરીણામ ભોગવવા તૈયાર રહેજો તેમ કહી ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.