By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થિયરી ઑફ રિલેટિવિટી પરમપિતા બ્રહ્માનો સાપેક્ષવાદ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > થિયરી ઑફ રિલેટિવિટી પરમપિતા બ્રહ્માનો સાપેક્ષવાદ!
AuthorParakh Bhattધર્મ

થિયરી ઑફ રિલેટિવિટી પરમપિતા બ્રહ્માનો સાપેક્ષવાદ!

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE

મોટાભાગનાં લોકોને ખ્યાલ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશ્ર્વને સૌથી અમૂલ્ય એવી રીલેટિવિટી થિયરી (સાપેક્ષવાદનો સિધ્ધાંત) ભેટ કરી છે. તેમનાં રાત-દિવસનાં ઉજાગરાઓએ આજનાં વિજ્ઞાન માટે પુષ્કળ નવી દિશાઓ ખોલી આપી છે. પ્રકાશની ગતિ, સાપેક્ષવાદ સિધ્ધાંત, સ્પેસ-ટાઈમ કો-રિલેશનને સાબિત કરવા પાછળ તેમનો ફાળો અનન્ય છે. પરંતુ અગર આઇન્સ્ટાઈને ભગવદગીતા સહિત અન્ય પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તો આ વિશેની પ્રેરણા થવી એ તો સાવ સામાન્ય છે! કારણકે થિયરી ઓફ રીલેટિવિટીની મૂળભૂત સમજ હજારો વર્ષો પહેલા આપણા હિંદુ શાસ્ત્રમાં અપાઈ ચૂકી છે!

Contents
– પરખ ભટ્ટપૃથ્વીથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ ગ્રહ (કથામાં જણાવ્યું છે તે મુજબ બ્રહ્મલોક) સુધી અગર વ્યક્તિ (પ્રકાશની ગતિએ) પ્રવાસ ખેડીને પાછો આવે તો તેની ઉંમરમાં રત્તીભારનો પણ ફેરફાર ન થાય! રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ આ વાતની સાક્ષી પુરાવે છે, આવા તો કંઈ-કેટલાય કિસ્સાઓ અથવા ગાથાઓ આપણા ગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે.સતયુગમાં જન્મેલ રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ

– પરખ ભટ્ટ

વિશ્ર્વનાં મહાનત્તમ વૈજ્ઞાનિકોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સમાવેશ થાય છે પરંતુ તેમનાં જીવનની એક હકીકત વિશે બહુ ઓછા લોકોને જાણ છે! આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતે ગાંધીજીનાં ખૂબ મોટા ચાહક. બાપુનાં સિધ્ધાંતો પ્રત્યે તેમને ઉંડી શ્રધ્ધા! સ્વાભાવિક છે કે આપણે જેને આદર્શ ગણતાં હોઈએ તેમની દરેક ગમતીલી વસ્તુઓ સાથે જોડાવાનો આગ્રહ પણ આપણે રાખ્યો જ હોય. આઇન્સ્ટાઈન પણ આમાંના એક! ગાંધીજીનું સૌથી મનગમતું ધાર્મિક પુસ્તક એટલે ‘ભગવદગીતા’. નવાઈની વાત તો એ છે કે આઇન્સ્ટાઈને પણ આખેઆખી ભગવદગીતા ઉપરાંત અન્ય કેટલાક ધાર્મિક ગ્રંથોનું ગહન અધ્યયન કરેલું. તેમનાં જીવનમાં ભગવદગીતાનાં વાંચન થકી ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. એક જગ્યાએ તેમણે આ વિશે ટાંકેલુ પણ ખરૂ કે, ભગવદગીતામાં અપાયેલ સૃષ્ટિનાં સર્જન વિશે વિસ્તારપૂર્વક વાંચીને મને લાગી રહ્યું છે કે જગત આખું મિથ્યા છે!

- Advertisement -

મોટાભાગનાં લોકોને ખ્યાલ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશ્ર્વને સૌથી અમૂલ્ય એવી રીલેટિવિટી થિયરી (સાપેક્ષવાદનો સિધ્ધાંત) ભેટ કરી છે. તેમનાં રાત-દિવસનાં ઉજાગરાઓએ આજનાં વિજ્ઞાન માટે પુષ્કળ નવી દિશાઓ ખોલી આપી છે. પ્રકાશની ગતિ, સાપેક્ષવાદ સિધ્ધાંત, સ્પેસ-ટાઈમ કો-રિલેશનને સાબિત કરવા પાછળ તેમનો ફાળો અનન્ય છે. પરંતુ અગર આઇન્સ્ટાઈને ભગવદગીતા સહિત અન્ય પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તો આ વિશેની પ્રેરણા થવી એ તો સાવ સામાન્ય છે! કારણકે થિયરી ઓફ રીલેટિવિટીની મૂળભૂત સમજ હજારો વર્ષો પહેલા આપણા હિંદુ શાસ્ત્રમાં અપાઈ ચૂકી છે!

આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ સિધ્ધાંત

થિયરી ઓફ રીલેટિવિટીને ભારે-ભરખમ વૈજ્ઞાનિક ભાષામાં સમજવાને બદલે એક ઉદાહરણની મદદ વડે સમજીએ. ધારો કે, તમે તમારી હોન્ડા સિટી કારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની અસ્ખલિત ગતિએ એક સાફ-સૂથરા રસ્તા પર આગળ ધપી રહ્યા છો. બેક-સીટમાં બેઠા હોવાને લીધે કારની સ્પીડ વિશે તમને કશો ખ્યાલ જ નથી. જ્યારે કારની વિન્ડોમાંથી તમે બહારની બાજુ નજર દોડાવશો ત્યારે પ્રતીત થશે કે તમારું વાહન તો સ્થિર જ છે પરંતુ નજર સામે એક વૃક્ષ પાસે ઉભેલો વ્યક્તિ 100 કિમી પ્રતિ કલાકની ગતિએ મુસાફરી રહ્યો છે. સામે પક્ષે, બહાર વૃક્ષ પાસે સ્થિર ઉભેલા વ્યક્તિને એવું લાગશે કે પોતે સ્થિર ઉભો છે અને તમારું વાહન 90-100 કિમીની ગતિએ રસ્તા પર દોડી રહ્યું છે. તો કોઈક ત્રીજા વ્યક્તિને એવો અનુભવ થશે કે કાર તેમજ તેની અંદર બેઠેલો માણસ સ્થિર છે પરંતુ જે રસ્તા પર કાર દોડી રહી છે તે રસ્તો 100 કિમીની ગતિએ પ્રવાસ કરી રહ્યો છે. ત્રણેયનાં દ્રષ્ટિકોણ અલગ-અલગ છે, પ્રત્યેક વ્યક્તિ અહીં પોતપોતાની જગ્યાએ સાવ સાચો છે, પરંતુ એકબીજાનાં સાપેક્ષમાં!

- Advertisement -

હવે આઇન્સ્ટાઈનનાં સાપેક્ષવાદને મુદ્દાવાર સમજીએ

(1) કોઈ પણ ચીજ-વસ્તુ કે વ્યક્તિ પ્રકાશની ગતિ કરતાં વધુ ઝડપે પ્રવાસ નથી કરતી.

(2) કઈ વસ્તુ સ્થિર છે અને કઈ ગતિમાં તે કહેવું અશક્ય છે. (પહેલાનાં વૈજ્ઞાનિકો એવું સમજતાં કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર તેની ઈર્દગિર્દ પરિક્રમા કરી રહ્યા છે પરંતુ પછીથી પુરવાર થયું કે ખરેખર પૃથ્વી સૂર્યની ફરતે ચક્કર લગાવી રહી છે. બીજી બાજુ, સૂર્ય પણ તો સ્થિર નથી જ! આકાશગંગાની ફરતે લાખો કિમી પ્રતિ કલાકની ગતિએ ઘુમી રહેલા સૂર્યની ગતિ તો પૃથ્વી કરતાં પણ ઘણી વધુ તેજ છે.)

(3) દરેક નિરીક્ષક એવું વિચારે છે કે પોતે સ્થિર છે અને આજુબાજુની દરેક વસ્તુ ઘુમી રહી છે. (જે તેનાં પોતાનાં દ્રષ્ટિકોણથી સત્ય પણ છે.)

(4) સમય એ તમારી ગતિ સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. જેમ-જેમ પ્રવાસીની સ્પીડ વધતી જાય તેમ-તેમ સમયનું ચક્ર ધીરૂ થતું જાય! અગર તમે પ્રકાશની ગતિએ પ્રવાસ કરવા માંડો તો પરિણામ એ આવશે કે ઘડિયાળની સોય એક જ જગ્યા પર અટકી જશે! સમય આગળ વધવાનું બંધ થઈ જશે. આ ગતિએ એક વર્ષ સુધી પ્રવાસ ખેડવામાં આવે તો પણ માણસની ઉંમરમાં એક દિવસનો પણ વધારો નોંધી ન શકાય.

એમ માનો કે ઉંમર કોઈ એક જ જગ્યા પર આવીને વધતી અટકી જાય!

એકદમ સરળ ઉદાહરણ લઈએ. માનો કે તમારી ઉંમર 28 વર્ષની છે અને તમારો ભાઈ તમારા કરતાં ફક્ત બે વર્ષ નાનો એટલે કે 26 વર્ષનો છે. અગર તમે અવકાશમાં પ્રકાશની ગતિએ વીસ વર્ષ સુધી પ્રવાસ કરીને પૃથ્વી પર પાછા ફરશો તો તમારી ઉંમર તો અઠ્ઠાવીસની જ હોવાની, પરંતુ તમારો નાનો ભાઈ એ વખતે 46 વર્ષનો થઈ ગયો હશે!! આ થિયરીને અમેરિકન સાયન્ટિસ્ટો સાચી સાબિત કરી ચૂક્યા છે. અવકાશમાં વર્ષો સુધી ભ્રમણ કરતાં હોવા છતાં તેમને

ફક્ત અમુક દિવસો વીત્યા હોવાની જ અનુભૂતિ થાય છે.

હિંદુ વેદ-પુરાણમાં અપાયેલી સાપેક્ષવાદની થિયરી સમજવા માટે પૃથ્વી પરનાં ચાર યુગ અને બ્રહ્મલોકમાં ચાલતાં સમય વિશે થોડી વિગતવાર જાણકારી મળવી જરૂરી છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબ, બ્રહ્મલોકમાં વસતાં ભગવાન બ્રહ્મા સમગ્ર વિશ્ર્વનાં સર્જનહાર છે. તેમનાં દ્વારા રચવામાં આવેલા ચાર યુગ-સતયુગ (17 લાખ 28 હજાર વર્ષ), ત્રેતાયુગ (12 લાખ 96 હજાર), દ્વાપર યુગ (8 લાખ 64 હજાર) અને કળિયુગ (4 લાખ 32 હજાર) કુલ 71 વખત પુનરાવર્તન પામ્યા બાદ એક મનવંતર પૂરો કરે છે. મનવંતર જ્યારે ચૌદ વખત પુનરાવર્તન પામે ત્યારે અડધું કલ્પ પૂરું થયું ગણાય. ભગવાન બ્રહ્માનાં બ્રહ્મલોકની એક સવાર એટલે આ અડધો કલ્પ!! તેમનો બાકીનો અડધો દિવસ (સંધ્યાકાળથી લઈને રાત સુધીનો સમય) એટલે બીજો અડધો કલ્પ! (સાદી ભાષામાં એવું કહી શકાય કે બ્રહ્મલોકમાં જ્યારે માંડ એક દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં આપણી ધરતી પર અબજો વર્ષ વીતી ચૂક્યા હોય!)

પૃથ્વીથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ ગ્રહ (કથામાં જણાવ્યું છે તે મુજબ બ્રહ્મલોક) સુધી અગર વ્યક્તિ (પ્રકાશની ગતિએ) પ્રવાસ ખેડીને પાછો આવે તો તેની ઉંમરમાં રત્તીભારનો પણ ફેરફાર ન થાય! રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ આ વાતની સાક્ષી પુરાવે છે, આવા તો કંઈ-કેટલાય કિસ્સાઓ અથવા ગાથાઓ આપણા ગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે.

સતયુગમાં જન્મેલ રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ

રાજા રેવતનાં સુપુત્ર કકુદમીને ત્યાં એક ખૂબસૂરત રાજકુમારીનો જન્મ થયો. જેને નામ અપાયું રેવતી! રાજા કકુદમીએ પોતાની યુવાન થયેલી પુત્રીને પરણાવવા માટે અનેક રાજકુમારોની પરીક્ષા લીધી. પરંતુ એક પણ કુંવર એવો ન મળ્યો જે રેવતીને લાયક હોય! આખરે કોઈ ઉપાય ન જડતાં રાજા કકુદમી પુત્રી રેવતીને લઈને બ્રહ્મલોકમાં જવા રવાના થયા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો બ્રહ્માજી ત્યાંના સંગીતકારો દ્વારા પેશ કરવામાં આવી રહેલું સુમધુર સંગીત સાંભળવામાં વ્યસ્ત હતાં. સંગીત-સમારોહ પૂરો થાય ત્યાં સુધી રાજા કકુદમીએ પ્રતીક્ષા કરી. સંગીત પૂરું થયા બાદ જેવી બ્રહ્માજીએ પોતાની આંખો ખોલી કે તરત જ રાજા કકુદમીએ પોતાની મૂંઝવણ ભગવાનને કહી સંભળાવી. બ્રહ્માજીએ મુસ્કુરાઈને રાજા કકુદમીને બ્રહ્મલોકમાં ચાલતાં સમય, મનવંતર અને પૂર્ણ કલ્પ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે રાજા કકુદમી તેમજ રાજકુમારી રેવતીએ બ્રહ્મલોકમાં પસાર કરેલી થોડી ક્ષણોની અંદર તો પૃથ્વી પર 27 મનવંતર પૂરા થઈ ગયા છે. હવે ધરતીલોક પર એવું કોઈ જ નથી બચ્યું જે રાજા કકુદમી અને રેવતીને ઓળખતું હોય! તેમનાં તમામ સગા-વ્હાલાઓ અને પ્રજાજનો કાળની ગર્તામાં સમાઈ ગયા છે.

રાજા કકુદમી હવે બરાબર મૂંઝાયા. તેમની પરેશાની પારખી ગયેલા બ્રહ્માજી ફરી મર્મમાં હસ્યા. તેમણે રાજાને જણાવ્યું કે, હે રાજન, તું મૂંઝાઈશ નહી. તુ અત્યારે જ તારી પુત્રીને લઈને પૃથ્વી પર જવા રવાના થા. તું પહોંચીશ ત્યાં સુધીમાં ધરતીલોક પર અઠ્ઠાવીસમાં મનવંતરનો દ્વાપર યુગ પૂરો થવાની તૈયારીમાં હશે. એ વખતે ભગવાન વિષ્ણુ કૃષ્ણ-અવતાર લઈ ચૂક્યા હશે. ભાઈ બલરામ તરીકે શેષનાગનું પણ અવતરણ થશે. રાજકુમારી રેવતીનો જન્મ બલરામ સાથે પરણવા માટે જ થયો છે. બંનેનું પાણિગ્રહણ કરાવતાંની સાથે તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.

એ જ ક્ષણે, રાજા કકુદમી બ્રહ્માજીને પ્રણામ કહીને પૃથ્વીલોક પર આવી ગયા. ત્યાં જોયું તો બધું જ બદલાઈ ચૂક્યું હતું. ભગવાન બ્રહ્માએ કરેલા ભવિષ્યકથન મુજબ, શ્રીકૃષ્ણનાં ભાઈ બલરામ સાથે પોતાની પુત્રી રેવતીનો હસ્તમેળાપ કરાવી રાજા કકુદમીએ હિમાલય તરફ પ્રયાણ કર્યુ.

હવે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રીલેટિવિટીનાં ચોથા મુદ્દા પર ફરી એક નજર ફેરવી જુઓ. પૃથ્વીથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ ગ્રહ (કથામાં જણાવ્યું છે તે મુજબ બ્રહ્મલોક) સુધી અગર વ્યક્તિ (પ્રકાશની ગતિએ) પ્રવાસ ખેડીને પાછો આવે તો તેની ઉંમરમાં રત્તીભારનો પણ ફેરફાર ન થાય! રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ આ વાતની સાક્ષી પુરાવે છે. આવા તો કંઈ-કેટલાય કિસ્સાઓ અથવા ગાથાઓ આપણા ગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે. પરંતુ આજસુધી તેનાં સાયન્ટિફિક મહત્વને આપણા સુધી પહોંચાડવા માટેનાં પ્રયાસોમાં મોટી કમી રાખી દેવામાં આવી છે, જેનાં લીધે યંગસ્ટર્સ કદાચ ધર્મપ્રિયને બદલે ધર્મભીરું બની ગયા છે!

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૈં તો વો હું, જિસે હર હાલ મેં બસ રોના થા
Next Article સત્સંગ કોને કહેવાય?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?