ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ,
મેંદરડામાં આવેલ મધુવંતી નદીમાં સારા વરસાદના લીધે ઘોડાપુર આવેલ હતું જેના કારણે ડાયવર્ઝનમાં કચરો ભરાઈ ગયેલ હતો તેને કાઢવા માટે અને હવે નદીમાં પૂર આવે તો ડાયવર્ઝનને નુકસાન ન થાય તેનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક ત્યાં થી કચરો હટાવેલો હતો તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા અને તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવાએ હિટાચી મશીન દ્વારા ભરાયેલ કચરાને દૂર કરવાની કામગીરી શરુ કરી હતી.
- Advertisement -
જો કચરો દૂર ન થાયતો હજુ આગામી દિવસોમાં વધુ વરસાદ પડેતો મધુવંતી નદીનું પાણી ડાયવર્ઝન ઉપરથી પસાર થાય તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી સાથે પાણીમાં તણાવાનો ભય ઉભો થાય અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી જેને ધ્યાને રાખીને ભરાયેલ કચરો દૂર કરવામાં આવ્યો છે.