લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો : રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશના સૌથી વિશાળ એવા રામ મંદિરના તૈયાર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો બાકી છે. જેના માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાંચ હજાર કિલોથી પર વધુ વજન ધરાવતો પિત્તળનો વિશેષ ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો છે.
છેલ્લા છ મહિનાથી, અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ પોલના નિર્માણમાં સામેલ છે. કંપનીના એમડી ભરત મેવાડાએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે. ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરમાં ઝુમ્મર, દીવા પણ અહીંથી સપ્લાય કરવામાં આવ્યા છે. રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. તેમજ રામ મંદિરના દરવાજામાં 10 કિલોનું એક એંગલ વાપરવામાં આવ્યું છે. તેમજ દરવાજાનું કામ ચાલી રહ્યું છે.
અમદાવાદના ચાંદલોડિયા-ગોતા રોડ પર અંબિકા ફેક્ટરી આવેલી છે. જેમાં ગોતા ચોકડીથી ચાંદલોડિયા તરફ જતાં વચ્ચે આ ફેક્ટરી આવેલી છે. જેમાં લોકો માટે ધ્વજ સ્તંભના દર્શનનો સમય સવારે 6થી સાંજના 6-7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડના દર્શન કરવા આવી રહ્યા છે. હજુ 18 ડિસેમ્બર સુધી ધ્વજ સ્તંભ અહીં રહેશે. જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ તેમ અહીં પહોંચી રહ્યા છે.
અમદાવાદના અંબિકા એન્જીનીયરીંગ વર્કસ કંપનીને ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે. જે ખાસ ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રોના હિસાબે આ સમગ્ર ધ્વજ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે કંપનીને ખાસ જવાબદારી આપવામાં આવી છે.
આગામી 22 જાન્યુઆરી, 2024 ના રોજ, બપોરે 12:20 વાગ્યે, ભગવાન રામને અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તેમના ભવ્ય મહેલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અંદાજે 8000 સંતો અને વિવિધ ક્ષેત્રની અસંખ્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થનાર 5500 કિલોના ધ્વજ સ્તંભની કામગીરી પૂર્ણતાને આરે
