વધુ એક સંતની ગંદી કરતુત સામે આવી…
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓનું પાપ લીલાનું વધુ એક પુરાવો….
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની પાપલીલાનો ભાંડો ધીરે ધીરે ફૂટી રહ્યો છે. તાજેતરમાં એક સમયે વડોદરાના વાડી વિસ્તારમાં, વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યાર બાદ વડતાલના સ્વામી સત્યસ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો વાયરલ થવા પામ્યો છે. જે બાદ મીડિયાની ટીમ વડતાલ પહોંચી હતી. જ્યાં મંદિરના કોઠારી સ્વામી ગેરહાજર મળી આવ્યા હતા. ખાસ-ખબર વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતનું કલંકરૂપ કૃત્ય સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા સર્કલમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સત્યસ્વરૂપનો એક વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં સ્વામી સત્યસ્વરૂપ સ્નાન સમયે એક છોકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ હરકત સાધુતાને લજવે તેવી છે. વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા વડોદરાના વાડી સ્વામીનારાયણ મંદિરના વર્ષ 2016 ના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, એક પછી એક વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતોની પાપલીલાનો ભાંડો ફુટી રહ્યો છે.
- Advertisement -
વિવાદ થયા બાદ મંદિરના મોટા સંતોનું સૂચક મૌન
ભગવાન સ્વામિનારાયણે જે ભૂમિ પર શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો, જ્યાં ભગવાન સ્વયં બિરાજમાન થયા તે વડતાલ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું તીર્થધામ કહેવાય છે. પરંતુ સંપ્રદાયના કેટલાક સંતોને કારણે આ તીર્થધામની ગરિમાને ઠેસ પહોંચી રહી છે. છેલ્લા બે દિવસમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સંતોની કામલીલાના એક પછી એક ઓડિયો અને વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે અને આ ઘટનાઓ બાદ સંપ્રદાયના મોટા સંતોએ સૂચક મૌન સેવી લીધું છે.