ધાર્મિક જુલુસમાં લોકો તલવાર-હથિયાર સાથે નીકળતા હોવાની NOCની દલીલ: એકાદ દંગાની ઘટનાથી બધાને સમાન રીતે ન જોઇ શકાય : સુપ્રીમ
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે દેશભરમાં ધાર્મિક જુલુસો માટે સખ્ત નિયમોની માંગ કરતી એક જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી અને અરજી કરનાર પર ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું ચિત્ર ઉભું ન કરો કે બધા ધાર્મિક જુલુસોથી દંગા થાય છે અને ધાર્મિક જુલુસ દંગાનો સોર્સ છે. આ અરજીની સુનાવણી સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ નરસિંમ્હાની પીઠે કકરી હતી. સુપ્રીમ કોર્ટની પીઠે જાહેર હિતની અરજી કરનાર એનજીઓને કહ્યું હતું કે આ કાયદો-વ્યવસ્થાનો મુદ્દો છે અને તેને રાજ્યની પોલીસ અને જિલ્લા અધિકારીઓ દ્વારા જોવામાં આવે છે. આ અરજી એનજીઓ સિટીઝન ફોર જસ્ટીસ એન્ડ પીસ દ્વારા કરવામાં આવી હતી. એનજીઓએ દલીલ કરી હતી કે ધાર્મિક જુલુસોમાં લોકો હથિયાર દેખાડે છે. સીજેઆઈ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા એક જિલ્લાથી બીજા જિલ્લામાં અલગ હોય છે અને ધાર્મિક જુલુસોને નિયમન કરવા માટે સમાન દિશા-નિર્દેશ ન હોઇ શકે. એનજીઓ તરફથી વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહની પીઠને જણાવ્યું હતું કે ધાર્મિક જુલુસો-ઉત્સવ દરમિયાન લોકો તલવારો અને હથિયાર લહેરાવતા નીકળે છે. આ પ્રકારના જુલુસ દરમિયાન દંગા સામાન્ય થઇ ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે વકીલની દલીલ ફગાવતા જણાવ્યું હતું કે ધાર્મિક તહેવારોમાં એકાદ છુટી છવાઈ દંગાની ઘટના સાથે બધા ધાર્મિક જુલુસોની સમાનતા ન કરી શકાય. સુપ્રીમે એનજીઓને આ મામલે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની સલાહ આપી હતી.