સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના મૃતકોને તાત્કાલિક વળતર આપવાનો આદેશ આપ્યો છે.
કોરોના કાળમાં પોતાના વ્હાલસોયા સભ્યો ગુમાવનાર લોકોને એક મોટી રાહત મળી છે અને હવે તેમને વળતર મળી જશે. કોરોનાથી મોતને ભેટેલા પીડિતોના પરિવારને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ ટાઈમ બગડ્યા વગર કોરોના પીડિતોના પરિવારના સભ્યોને વળતરની ચુકવણી કરે. સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે, “અમે કાર્યવાહી બંધ કરીએ છીએ જ્યારે તમામ રાજ્યોને નિર્દેશ આપીએ છીએ કે રાજ્ય સરકારો ત્વરિત ગતિએ કોરોના મૃતકોના પરિવારોને વળતર જારી કરે તેમણે કહ્યું કે જો કોઈ દાવેદારને કોઈ ફરિયાદ હોય તો તેઓ સંબંધિત ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકે છે.
- Advertisement -
Supreme Court directs all states, Union Territories to ensure payment of compensation to family members of COVID-19 victims without wasting any time
— Press Trust of India (@PTI_News) July 18, 2022
- Advertisement -
વળતર ન મળે તો ફરિયાદ નિવારણ સમિતિને ફરિયાદ કરી શકાશે
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ બી વી નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઈ દાવેદારને વળતરની ચુકવણી ન મળે અથવા તો તેમના દાવાને નકારી કાઢવામાં આવે તો તેઓ સંબંધિત ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકે છે.
ફરિયાદ નિવારણ સમિતિ ચાર અઠવાડિયામાં ફરિયાદનો નિકાલ લાવશે
ફરિયાદ નિવારણ સમિતિને દાવેદારની અરજીનો નિર્ણય ચાર અઠવાડિયામાં લેવા પણ નિર્દેશ આપ્યો હતો. આંધ્રપ્રદેશ સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) પાસેથી વ્યક્તિગત ડિપોઝિટ એકાઉન્ટ્સમાં ભંડોળ ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવતી અરજીના સંદર્ભમાં, ખંડપીઠે આ ભંડોળને બે દિવસની અંદર એસડીઆરએફ ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.