ક્ષ રૂા. 1 લાખ 20 હજારની સહાય મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે દરેક વર્ગના લોકોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જે અન્વયે રાજ્યના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતાં હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.
આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂા. 1,20,000ની નાણાકીય સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ યતફળફષસફહુફક્ષ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ ઉપર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. સંબંધિત અધિકારી જણાવે ત્યારે જ અસલ કોપી રજુ કરવાની રહેશે. વધુ માહીતી માટે રાજકોટના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુજાતિ કલ્યાણની કચેરી 6/1 બહુમાળી ભવન, રેષકોર્ષ પાસે સંપર્ક કરવાનો રહેશે.