નાના મોડલને લઈને સફળતાની કરી પ્રાર્થના: ચંદ્રયાન-3 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો) જલ્દી ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. સફળ લોન્ચની પ્રાર્થના માટે ઈસરો વૈજ્ઞાનિકની એક ટીમ ચંદ્રયાન 3ના નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બાદમાં તેઓએ નાનું મોડલ બતાવીને કહ્યું કે તે ચંદ્રયાન-3 છે. આવતીકાલે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઈંજછઘએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈંજછઘ ચંદ્રયાનનું ત્રીજું મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે.
- Advertisement -
આ પહેલા મંગળવારે ઈસરોએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું.
ઈંજછઘ તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પ્રક્ષેપણની તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ
થયું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંજછઘ) 14 જુલાઈના રોજ મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે. ચંદ્રયાન-3નું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. અગાઉ, ઈસરોએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા, પરંતુ તે બંને સપાટી પર ઉતરી શક્યા
ન હતા.
- Advertisement -
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે.
મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે
આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉડાન ભરશે અને જો બધુ યોજના મુજબ ચાલશે તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી કટખ-3 સાથે જોડાયેલ હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.