મંદિરમાં શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી મા, ખોડિયાર મા, આશાપુરા મા, દિશાના દેવો, ઋષિ-મુનિઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે
તા. 7ને શનિવારે નટેશ્ર્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના 80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં આવેલા અંંદાજિત 80 વર્ષ જૂનું મહાદેવ પ્રત્યેની ભક્તોની આસ્થાનું ધામ નટેશ્ર્વર મહાદેવનો ભવ્યાતિભવ્ય જિર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. નટેશ્ર્વર ધામ મહોત્સવ અંતર્ગત તા. 6થી 8 ત્રિદિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં મહાદેવજી ઉપરાંત શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી મા, ખોડિયાર મા, આશાપુરા મા, દિશાના દેવો, ઋષિ-મુનિઓની મૂર્તિઓની પણ પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે. જોશી તથા ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર કરીને મહાદેવજીને આહવાન કરીને મૂર્તિઓનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે સંત સમુદાય સર્વે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ તથા સંયોજક સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મતીર્થ સ્વામી, ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરના દેવકૃષ્ણ સ્વામી, મુખ્ય સ્વામિનારાયણ મંદિર રાજકોટના રાધારમણ સ્વામી, જગદ્ગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્ર્વર પંચના અખાડા (મુજકુંદ ગુફા) જૂનાગઢના મહેન્દ્ર નંદગીરીજી મહારાજ, કુવાડવાના યતિ બ્રહ્મદેવજી મહામંડલેશ્ર્વર, ધોરાજીના શ્રદ્ધાનંદગીરીજી મહારાજ, બાલાજી મંદિર રાજકોટના વિવેકસાગર સ્વામી, આત્મીય કોલેજ રાજકોટના ત્યાગવલ્લભ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રી નટેશ્ર્વરધામ મહોત્સવ તા. 6 ને શુક્રવારના રોજ પ્રથમ દિવસે સવારે 7-30 કલાકથી 9-00 કલાક સુધી તિલકકરણ, મંગલાચરણ, ગણપત્યાદિ પંચાંગ કાર્ય તેમજ સવારે 9-15થી 12-30 કલાક સુધી વિધિપૂજન, મંડપપૂજન, પ્રવેશાગકર્મ, દેવતા સ્થાપન, નવગ્રહ શાંતિ કુંડ પૂજન, અગ્નિ સ્થાપન હોમ રાખવામાં આવેલો છે ત્યારબાદ બપોરે 3-00 કલાકથી સાંજના 5-15 કલાક સુધી જલાધિવાસ, કુટિરહોમ, જલેપ્રતિમાધિવાસ, સાયં સ્થાપિત દેવતા પૂજન, નિરાંજન સ્તુતિ રાખવામાં આવી છે.
તા. 7 ને શનિવાર દ્વિતીય દિવસે સવારે 7-30 કલાકથી બપોરે 1-30 કલાક સુધી સૂર્યાર્ધપૂજા, મંડપદ્વાર પૂજા, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, જળયાત્રા, પ્રસાદ વાસ્તુશાંતિ, મુતિનિક્ષેપવિધિ, સ્નપનવિધિ તેમજ બપોરે 2-30થી 4-15 સુધી શપ્યાધિવાસ, ન્યાસાદીકર્મ, તત્ત્વન્યાસ, શાંતિ પૌષ્ટિક હોમ, મૂર્તિપતિ, લોકપાલ હોમ, સ્થાપત્ય, દેવહોમ, વ્યાહતી હોમ, પ્રસાદ સ્નપન, ન્યાસાદીકર્મ, સ્થાપય દેવહોમ, સાયં પૂજા, નિરાંજનાદી કર્મ તથા તા. 7 ને શનિવારે સાંજે 4-30થી 6-00 કલાક સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નટેશ્ર્વર મહાદેવથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સોરઠીયાવાડી ચોક, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી ચોક, ભક્તિનગર સર્કલથી નટેશ્ર્વર મહાદેવ મંદિર સમાપન થશે ત્યારબાદ ધર્મસભા યોજાશે.
તા. 8 ને રવિવારના રોજ સવારે 7-30થી 12-30 કલાક સુધી સૂર્યાર્ધમંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, દિગહોમ મૂર્તિ, મૂર્તિપતિ, લોકપાલ સ્થાપત્ય હોમ, દેવપ્રબોધન, પ્રસાદ નયનમ તેમજ બપોરે 3-00 કલાકથી સાંજે 6-00 કલાક સુધી દેવ સ્થિતિકરણ, સ્થાપત્ય દેવહોમ, દેવતાઓના બલિદાન કાર્યક્રમ રાખવામાં આવેલો છે.
આ ભવ્ય અને દિવ્ય મહોત્સવમાં મુખ્ય મહેમાન સર્વે નયનાબેન પેઢડિયા, પૂર્વરાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, પરસોતમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિતના મહાનુભાવો હાજરી આપશે.
આ મહોત્સવને સફળ બનાવવા કમિટી મેમ્બર્સ સર્વે વીરભદ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અગ્રાવત, સુરેશભાઈ ડોડીયા, ચેતનભાઈ સોલંકી, ભરતસિંહ જાડેજા, રશ્મિનભાઈ કાચા, ઘનશ્યામસિંહ ચૌહાણ, નટવરસિંહ સરવૈયા, સંદીપભાઈ પટેલ, સાગરભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ, ગોવિંદપરી ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ધોરેચા, દિપકભાઈ રાઠોડ, હર્ષિતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પેન્ટર, રવિરાજસિંહ જાડેજા, રતિલાલભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, ધનરાજસિંહ જાડેજા, રાજુભાઈ કાચા, એડવોકેટ અંકિતભાઈ ભટ્ટ, વિકીભાઈ, જીગાભાઈ, રણજીતસિંહ સરવૈયા, હિતેન્દ્રભાઈ સાપરિયા, દેવેન્દ્રભાઈ જાજલ, નિલયભાઈ તાલપરા, હિમાંશુભાઈ અનંત, મિલનભાઈ સોલંકી, જયરાજસિંહ જાડેજા, દિલીપભાઈ સોલંકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે મનોજભાઈ મારુ, સુરુભા જાડેજા, અરુણભાઈ નિર્મલ, કૌશિકભાઈ ટાંક, જયેશભાઈ જાની, ધ્રુવભાઈ કુંડેલ વગેરે આવ્યા હતા.