રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે દૌસાની સલાવાસ જેલના એક કેદીએ આ ધમકી આપી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આપી છે. શુક્રવારે રાત્રે, દૌસાની સલાવાસ જેલના એક કેદીએ મુખ્યમંત્રી ભજન લાલને મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 29 વર્ષીય રિંકુએ જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી.
- Advertisement -
પોલીસે સલાવાસ જેલમાં કોલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોનનું લોકેશન શોધી કાઢ્યું. પોલીસે જણાવ્યું કે જેલમાં સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેલમાંથી ફોન મળી આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારે પણ આરોપીને દૌસા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર ધમકી આપવામાં આવી હતી.
આરોપી પોક્સો કેસમાં જેલમાં છે
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પોક્સો કેસમાં જેલમાં છે. આરોપી 2022 માં દૌસા સેન્ટ્રલ જેલમાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મુખ્યમંત્રીને જેલમાંથી ધમકી આપવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન દૌસા જેલની અંદરથી મોબાઇલ મળી આવ્યો હતો. હવે ફરી જેલની અંદરથી ધમકી આપવામાં આવી છે. જેના કારણે જેલ પ્રશાસન પર સવાલો ઉભા થાય છે.
- Advertisement -