અંબાજી મંદિર હવે આગામી તા. 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે ખુબ કોહરામ મચાવ્યો છે. ત્યારે ગુજરાતના તમામ સુપ્રસિદ્ધ યાત્રાસ્થાનોને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરતા ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સાળંગપુર મંદિર, સોમનાથ મંદિર, દ્વારિકા જગત મંદિર, અંબાજી શક્તિપીઠ વિગેરેનો સમાવેશ થાય છે.
કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, ભક્તો મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે.
- Advertisement -
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી તા. 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પૂર્વે તા. 23 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ કરવાની જાહેરાત કરાી હતી. ત્યારે અંબાજી મંદિર ગત તા. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો આગામી તા. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
- Advertisement -
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે ઘરે બેઠા ઓનલાઈન જીવંત પ્રસારણનો લાભ લે અને કોરોનાની આ વૈશ્વિક મહામારીને અટકાવવામાં કાર્યમાં સરકારના સહભાગી બનીએ.