સોમનાથ ખાતે 100 થી વધારે બાર એસોશિએશનના હોદેદારોની બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.17
- Advertisement -
સોમનાથમાં મળેલ બેઠકમાં 100થી વધુ બાર એસો.ના હોદેદારોએ “ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન” નામના નવા સંગઠનની જાહેરાત સાથે રચના કરી હતી. એડવોકેટ પ્રોટેક્શન એકટ બીલ લાવીને ઝડપી અમલ કરાવે તેને લઈ રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવા નિર્ણય કરાયો હતો. તો વેરાવળ બાર એસો.પ્રમુખ દ્વારા હિસાબ માંગતા ગુજરાત બાર એસો.એ ફટકારેલ નોટીસથી વકીલોમાં રોષ ભભૂક્યો છે. અગાઉ નર્મદા (રાજપીપળા), અંબાજી બાદ સોમનાથ ખાતે ગુજરાતભરના બાર એસો.ના પ્રમુખ- સેક્રેટરી સહિતના હોદેદારોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્વ સર્વે ઉપસ્થિત એડવોકેટ મિત્રોએ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવી હતી. બાદમાં સાગર દર્શન ખાતે શરૂ થયેલ બેઠકમાં ગુજરાતભરના 100થી વધુ બાર એસો.ના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ બેઠકમાં એડવોકેટ મિત્રોને લગતા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં વકીલ મિત્રો પર વધતા જતા હિંસક હુમલા મુદ્દે એડવોકેટ પ્રોટેક્શન એકટ બિલ વિધાનસભામાં વહેલી તકે લાવીને પાસ કરાવી અમલમાં લાવવા અંગે સરકાર સમક્ષ રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હોવાનું વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત સવાણી જણાવ્યું હતું.