PMJAY યોજના અંતર્ગત કરાતા ડાયાલિસિસની સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં નેફ્રોલોજીસ્ટ હાલ હડતાળ ઉપર છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા તા. 14 થી 16 ઓગષ્ટ પીએમજય યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલ અને બંધના આંદોલન દરમ્યાન માનવતા ખાતર ગુજરાતના તમામ બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત રહી 3000 થી વધુ કિડનીના દર્દીઓના ડાયાલિસિસ કરી સરકાર વિરુદ્ધની લડાઇનો ભોગ દર્દીઓ ન બને તેની કાળજી લેવામાં આવી હતી. આ હડતાલના ત્રણ દિવસ બાદ પણ તબીબોનો પ્રશ્ર્ન હજુ યથાવત હોય તેઓ કોઇ આખરી કડક પગલા લેતા પહેલા તેમના તરફથી બધા પ્રયત્નો કરી લેવા માંગે છે.
- Advertisement -
હાલમાં ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન (જી.એન.એ.)ના પ્રતિનિધિઓ તેમના શહેર-જિલ્લાના ભાજપા પ્રતિનિધિઓને મળી, તેમના પ્રશ્નમાં યોગ્ય કરવા રજૂઆત કરી રહ્યા છે અને આગામી સોમવારે તા. 21 ઓગષ્ટના રોજ મુખ્યમંત્રીને મળીને આ પ્રશ્ર્નમાં હસ્તક્ષેપ કરવા અંગે રજૂઆત કરાશે. જો ત્યાર બાદ પણ આ પ્રશ્ર્નનો કોઇ સકારાત્મક ઉકેલ નહી આવે તો આ યોજનામાંથી ખસીજવા સીવાય કોઇ રસ્તો તબીબો પાસે રહેશે નહી, તેવું જી.એન.એ. ના હોદેદારોનું માનવું છે. જી.એન.એ. ના નેફ્રોલોજીસ્ટ ડોકટરોએ જણાવ્યું હતું કે ડાયાલિસિસએ ખૂબ જટિલ પ્રોસિજર છે તેમાં નેફ્રોલોજીસ્ટનું માર્ગદર્શન અને દેખરેખ ખૂબ જરૂરી અને અનિવાર્ય છે. કાયદાકીય રીતે પણ કોઇ હોસ્પિટલ કે સેન્ટર પર ડાયાલીસીસની સારવાર કોઇ નેફ્રોલોજીસ્ટના માર્ગદર્શન વગર શક્ય નથી.
જો સરકારશ અમારા વાજબી પ્રશ્ન તરફ દુરલક્ષ સેવી કોઇ નીવેડો નહી લાવે તો, ન છુટકે તમામ જી.એન.એ. ના તબીબોએ સરકારની ઙખઉંઅઢ યોજનામાંથી ખસીજવા સીવાય કોઇ રસ્તો બચશે નહી.