ખાસ-ખબર સંવાદદાતા
મહાનગરપાલિકા દ્વારા તા. 15થી તા. 31/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. 29ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતેથી 3.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. પશ્ર્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતેથી કુલ 2.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો તેમજ પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતેથી કુલ 0.8 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન. આર. પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી. સી. સોલંકી, વી. એમ. જીંજાળા અને ડી. યુ. તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
શહેરના વિવિધ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ખાતેથી કુલ 3.3 ટન કચરાનો નિકાલ કરતું મનપા તંત્ર
