રાજકોટના વેપારીએ 20.67 લાખની છેતરપિંડી અંગે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરીના રંગપર ગામે રહેતા પિયુષભાઈ જેન્તીભાઈ મુંગલપરા ઉ.29એ અમદાવાદના જૈમિન દિનેશભાઇ પરમાર સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 20.67 લાખની છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જે કે સી એન્ટરપાઈઝના પાર્ટનર દરજજે વેપાર ધંધો કરુ છુ અને અમારી ઓફીસ આસ્થા એન્કલેવ, 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે આવેલ છે. અમારી પેઢીમા હુ તથા રજનીકાંતભાઈ દામજીભાઈ ઉધાડ તથા પ્રવિલભાઈ છગનભાઈ માલાણી ભાગીદારો છીએ અને સોપારી તથા ઘરઘંટી હોલસેલ ભાવે વેચીએ છીએ
- Advertisement -
ગઇ તા. 14/03/2023ના રોજ અમારી દુકાન-ઓફીસ પર અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા જૈમીનભાઈ દિનેશભાઈ પરમારનો સંપર્ક થયેલ અને જૈમીનભાઇએ જણાવેલ કે તે ગોપી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટરથી જુનાગઢ ખાતે બાબા કોમ્પલેક્ષ તથા સુરત મુકામે કતારગામ હોલશેલારો પાસેથી માલની ખરીદી કરી પોતાનું માર્જીન(કમીશન) રાખી માલનું વેંચાણ કરવાનો ધંધો કરે છે. જેથી જૈમીનભાઈને સોપારીની બહુ મોટા જથ્થામાં જરૂરીયાત રહેતી હોય છે જેથી સોપારીનું સેમ્પલ જુનાગઢ મુકામે મોકલાવવા- જણાવેલ જેથી તા. 16/03/2023 ના રોજ સોપારીના બે પાર્સલ મોકલાવેલ જે કિ.રૂ.42315ની સોપારી સેમ્પલ તરીકે મોકલાવેલ અને અમોને જણાવેલ તમારી સોપારીની ગુણવતા બહુ જ સારી છે અને મારે મોટા પાયે સોપારીની જરૂરીયાત પડતી હોય પરંતુ માર્કેટમાં હરીફાઈના લીધે અઠવાડીયા-દસ દિવસ કસ્ટમરોને માલ બાકીમાં દેવો પડતો હોય જેથી જેમ જેમ મારા કસ્ટમરો પાસેથી પેમેન્ટ આવતું જશે તેમ તેમ હું આપને પેમેન્ટ કરતો રહીશ તેવો આ જૈમીનભાઇએ અમોને વચન અને ભરોશો આપેલ અને બાદ જૈમીનભાઇએ તા.16/03/2023 થી શરૂઆતમા માલ મોકલાવેલનુ પાર્ટ પેમેન્ટ આપતા હતા અને અમોને કહેલ કે જેમ જેમ મારા ગ્રાહકો પાસેથી પેમેન્ટ આવતુ જશે તેમ તમોને આપતો રહીશ જેથી અમો જૈમીનભાઈની મીઠી વાણી અને તેઓની વાક્યતુરાઈમાં ફસાઈ ગયેલ અને અમો ફરીયાદી પાસેથી તા. 16/03/2023 થી 18/04/2023 સુધીમાં કટકે કટકે ટોટલ રૂગ, 22, 58,345/- રૂપિયાની સોપારીની ખરીદ કરેલ અને આ વચ્ચેના સમયગાળામાં અમો ફરીયાદી ઘરઘંટી પણ વહેચતા હોય જેથી જૈમીનભાઇને અમારી પાસેથી કુલ રકમ રૂા.1,40,000 /- ની ઘરઘંટીની ખરીદી કરેલ હતી આમ કુલ રકમ રૂ.23,98, 345નો માલ ખરીદી તે પૈકી ધંધાકીય વ્યવહારોની શરૂઆતમાં વિશ્વાસમા લેવા સારૂ રકમ રૂગ. 3,31,150/- કટકે કટકે આપેલ હતા બાદમાં તા. 15/04/2023 તથા 1 7/04/2023 ના રોજના જૈમીનભાઇએ બે ચેકો કે જેના નં. 059369 તથા 059370 આપેલ જે ચેકો અમોએ બેંક મા જમા કરાવતા તે ચેકો પરત ફરતા અમોએ જૈમીનભાઇને આ વાતની જાણ કરતા તેઓએ અમોને વચન વિશ્વાસ આપેલ કે તમારા કુલ રૂપિયા 20,67, 195/- ધીમે ધીમે ચુકવી આપશે અને બાદ અમોએ તેમને માલ આપવાનુ બંધ કરી દીધેલ અને અમારા માલના લેણા રૂપીયા 20,67, 195/- ની માંગણી કરતા તેઓ અવનવા બહાનાઓ આવ્યે જતા અને જણાવ તા કે તમે મારા પર ભરોશો રાખો હું તમારા તમામ રૂપિયા દુધે ધોઈને આપી દઈસ, ત્યારબાદ આ જૈમીનભાઈએ અમોનો ફોન કોલ ઉપાડવાનું બંધ કરી, તેઓના તમામ મો. નં. બંધ કરી દીધેલ બાદ અમો ફરીયાદી આરોપીની જુનાગઢની ઓફીસે તપાસ કરવા ગયેલ તો તેઓની ઓફીસ બંધ હતી જેથી અમો જૈમીનભાઈની સુરત મુકામેની ઓફીસે તપાસ કરવા ગયેલ તો ત્યાંની ઓફીસ પણ બંધ હતી આમ જેમીનભાઈ એ અમો ફરીયાદી પાસેથી સોપારી તથા ઘરઘંટીની ખરીદી કરી અમો ને વિશ્વાસમા લઇ શરૂઆતમાં કટકે-કટકે પાર્ટ પેમેન્ટ કરી અને ત્યારબાદ પોતાની વાકચતુરાઈથી અમૌને મીઠી મીઠી વાતો કરી અને અમારા રૂપીયા પરત નહી આપી વીશ્વાસઘાત કરેલ હોય જેથી ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.