પંચપ્રાણ, પંચતત્વ, પંચામૃત દ્વારા સહકાર ભારતી પરિવારમાં શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરીએ: જીવણભાઈ ગોલે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહકાર ભારતી ગુજરાત પ્રદેશ કાર્યકારીણી ભાગની બેઠક ત્રણ ભાગમાં ઉત્તર તથા મધ્ય ગુજરાત અમદાવાદ ખાતે, દક્ષિણ ગુજરાત અને આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગ ભાગની બેઠક રાજકોટ ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક બોર્ડ રૂમ ખાતે 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ વિભાગના રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ. ભાવનગર વિભાગના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ વિભાગના જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, દીવના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સહકાર ભારતીની પરંપરા મુજબ સહકાર ગીત ‘સમાજ હે આરાધ્ય હમારા, સેવા હે આરાધના, ભારતમાતા કે વૈભવ હિત, સહકારીતા કી સાધના’ કરવામાં આવી હતી.
- Advertisement -
સહકાર ભારતી ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રી જયંતિભાઈ કેવત, પ્રદેશ સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા, ગુજરાત, રાજસ્થાનનાં પ્રચારક જીવનભાઈ ગોલે, પ્રો. વિનોદભાઈ બરોચીયા રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, નયનાબેન મકવાણા, વશરામભાઈ ચોવટીયા, સુરેશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
જુદા જુદા વિષય ઉપર જણાવતા ગુજરાત, રાજસ્થાનના સંગઠન પ્રમુખ જીવનભાઈ ગોલે જણાવ્યું હતું કે ‘ચલો ગાઉ કી ઓર, ગાવ કે લિયે જીના શીખે’, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ ચાલી રહ્યું છે તેમજ સહકાર ભારતીના આગામી 50 વર્ષ શરૂ થનાર છે, સહકાર શક્તિ, રાજકીય શક્તિ અને સજ્જનશક્તિ ત્રણે ગ્રામ્ય વિકાસમાં સહજ રીતે સમન્વય કરી ત્યારે સમગ્ર ગામમાં સહકાર ચેતના કેન્દ્ર શરૂ થઈ જાય અને જબરું પરિવર્તન આવનાર છે. પ્રદેશ મહામંત્રી જયંતિભાઈ કેવતએ જણાવ્યું હતું કે સહકાર ભારતીની સ્થાપના 11 જાન્યુઆરી 1979માં પ.પૂ.લક્ષ્મણરાવ ઇનામદાર વકીલે કરી હતી. આજે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે શ્રેષ્ઠ સંગઠન સાબિત થયું છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષ ચાલી રહ્યું છે અને સહકાર ભારતીયને 2029- 50 વર્ષ થશે.
વિના સંસ્કાર, નહીં સહકાર, નહીં સહકાર, નહીં ઉદ્ધાર, ધ્યેય સાથે સર્જન શક્તિ જાગરણ કરવાના મુખ્ય ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં સહકાર ચેતના કેન્દ્રો નગર, ગ્રામ્ય વિસ્તાર જિલ્લા કેન્દ્રો પર ઠેર ઠે2 સહકાર ચેતના કેન્દ્રો ખોલી દર પંદર દિવસે નિશ્ર્ચિત કરેલા સ્થાન ઉપર ભેગા થવું અને અનુકૂળ સમય સુધી ચર્ચાઓ અને સંસ્કારની વાતો કરી સંગઠન ઊભું કરવું આદર્શ સહકારી કાર્યકર્તાઓ, સમાજ પરિવર્તન, સમૃદ્ધ ગામડાઓનું નિર્માણ વગેરે પ્રવૃત્તિ દ્વારા આદર્શ પરિવારો દ્વારા સમગ્ર રાજ્યમાં સહકાર ચેતના કાર્ય શરૂ કરવામાં આવનાર છે અને ખરા અર્થમાં વિના સંસ્કાર, નહીં સહકારને સાર્થક કરીએ. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગર ડો. એન. ડી. શીલુ્ અધ્યક્ષ, નાથાભાઈ ટોળીયા ઉપાધ્યક્ષ, જયેશ સંઘાણી મહામંત્રી, અનિરુદ્ધભાઈ નથવાણી ખજાનચી, નિશાબેન પીલોજપરા મહિલા સંયોજક, કુંદનબેન ભટ્ટ, દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ નિમાવત, યશભાઈ સોજીત્રા, વિભાભાઈ મિયાત્રા, હર્ષિલભાઈ શાહ, જેનિશભાઈ સીણોજીયા, આશિષભાઈ પોપટાણી, વિરાજભાઈ ડોલરએ જહેમત ઉઠાવી હતી.



