મૃતક યુવાનના સ્વજનોના ટોળાંની હત્યારાના વિસ્તારમાં બબાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉદ્ભવે તેવી ઘટના સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા શહેરના ધોરીધાર વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલ હત્યાના મામલે મૃતક યુવાનના સ્વજનોના ટોળાએ ધોરીધાર વિસ્તારમાં માથાકૂટ સર્જી હતી.
- Advertisement -
જાણવા મળતી અનુસાર ગત તારીખ 13 ઓક્ટોમ્બરના રોજ ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરુખભાઈ મોવર પોતાના મિત્રને સમાધાન કરવા માટે ધોરીધાર ખાતે રહેતા આરીફભાઇ રશૂલભાઈ સધવાણી પાસે લઈ ગયા હતા જેમાં આરીફ અને શાહરુખભાઇ મોવરને સામાન્ય બોલાચાલી આરીફ સધવાણી દ્વારા શાહરુખભાઈ મોવર પર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું આ મામલે બે મહિલા સહિત આરીફ રશુલભાઈ સધવાણી વિરુધ ગુન્હો પણ નોંધાયો હતો. જે બાદ હત્યાના બીજા જ દિવસે ત્રણેય ઈસમોને ઝડપી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ આરીફ અને તેઓના બહેન સહિત કુલ ત્રણેય ઈસમોને સુરેન્દ્રનગર સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જેને લઇ આરીફના પરિવારજનો દ્વારા ધ્રાંગધ્રાના ધોરીધાર સ્થિત રહેણાંક મકાન ખાતે પોતાનો ઘરનો સામાન ભરવા માટે આવ્યા હોય જે અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનો અને સ્વજનોને થતા ટોળાએ ધોરીધાર વિસ્તાર ખાતે જઈ આરીફના પરિવારજનો પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં આરીફના પરિવારજનોની મદદમાં આવેલા સાહિલ કુરેશી નામના યુવાનને છરી વડે ઇજા પામી હતી બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમા લેવા માટે પ્રયત્નો કર્યા હતા જેમાં ઇજાગ્રસ્ત સાહિલ કુરેશી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ હુમલાખોર ટોળા વિરુધ ગુન્હો નોંધાવાની તજવીજ પણ હાથ ધરી છે.