એઇમ્સમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની બેદરકારાથી દર્દીઓને સુવિધા મળતી નથી : ગાયત્રીબા વાઘેલા
તાત્કાલીક ધોરણે આ મશીન ચાલું કરવા જિલ્લા કલેક્ટરને કરાઇ રજૂઆત:
લીનેક મશીન માટેનો ખાસ રૂમ પણ તૈયાર છે છતા શા માટે મશીન શરૂ થતું નથી ?
- Advertisement -
કેન્સરના ડૉક્ટરને હૉસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવનું પદ કોની મહેરબાનીથી મળ્યુ ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર કચ્છના હજારો કેન્સરના દર્દીઓની આધુનીક રેડિયશન થેરાપી ઉપયોગી બનાવવા છેલ્લા બે વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં રહેલા કરોડોની કિંમતનું લીનેક મશીન ધૂળ ખાઇ રહ્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ કે હોસ્પિટલ પ્રશાસનીક અધિકારી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની બેદરકારીના કારણે દર્દીઓને સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તાત્કાલીક ધોરણે આ મશીન ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવ્યુ મુજબ કેન્સરની તમામ પ્રકારની સારવાર અને ટ્રીટમેન્ટ માટે ઉપયોગી થતું મશીનનો ઉપયોગ શા માટે દર્દીઓના લાભાર્થે કરવામાં આવતો નથી તેવા સવાલો ઉઠાવી તે અંગેના કારણોની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.
કેન્સરની સારવારનું મશીન જે જગ્યાએ રાખવાનું છે તે જગ્યાની ઉપયોગીતા માટે મેળવવાના તમામ પ્રકારના ગઘઈ તેમજ ફાયર NOC મેળવવા માટે ડીપાર્ટમેન્ટના વડા દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ છે કે નહીં તેની તપાસ કરવી જોઇએ. કેન્સર ટ્રીટમેન્ટ માટેની બેકી થેરાપી મશીન અંદાજીત કિંમત 50 લાખ, સીટી સીમીલેટર અંદાજીત કિંમત 45 લાખ, પેટ સીટ મશીન અંદાજીત કિંમત 50 લાખ આ બધાજ મશીનો એક વર્ષથી ઘુળ ખાઈ છે.
- Advertisement -
સ્પેશિયલ કોર્સ કર્યો ન હોવા છતા એડમિનિસ્ટ્રેટિવ પદનો કાર્યભાર સંભાળે છે ડૉ.સ્નેહા ઢીલોન
AIIMS હોસ્પિટલમાં “હોસ્પીટલ એડમિનિસ્ટ્રેટીવ” પદનો કાર્યભાર સંભાળતા ડો. સ્નેહા ઢીલોન કેન્સરને લગતી સારવારના ડોક્ટર હોવા છતાં તેમને કોઈપણ જાતના અનુભવ વગર કોની મહેરબાનીથી AIIMS હોસ્પિટલ “હોસ્પીટલ એડમિનિસ્ટ્રેટીવ” નો ચાર્જ સોપવામાં આવ્યો છે તેની તપાસ કરવી. AIIMS હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ પદનો કાર્યભાર સંભાળતા ડો. સ્નેહા ઢીલોન આ પદ સંભાળવા માટે બે વર્ષનો સ્પેશ્યલ કોર્ષ પણ કર્યો નથી. અને તેમનો ઓર્ડર પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ તરીકે થયો નથી છતાં કોની મહેરબાનીથી આ કાર્ય સંભાળે છે તેના કારણોની તપાસ કરી કાર્યવાહી કરવી. ડો. સ્નેહા ઢીલોનને તેમની લાયકાત વગર, અનુભવ વગર જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે તે કાર્યભારમાંથી મુકત કરી તેમનો મુકત કાર્યભાર સોંપવો. ડો. સ્નેહા ઢીલોનને હાલ જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે ત્યારે તેઓ બંને પદનો ડબલ પગાર મેળવી રહ્યા છે કે કેમ ? અને જો ડબલ પગાર મેળવ્યો હોવાનું રેકર્ડ ઉપર જણાય તો સરકારી નાણાની વસુલાત કરવાની કાર્યવાહી કરવી.
સિનિયર ડૉક્ટર, આધુનિક મશીનો છતાં કેન્સરની સારવાર દર્દીઓને મળતી નથી
રાજકોટ એમ્સ હોસ્પિટલના કેન્સરના સીનીયર ડોક્ટર તથા મશીનો હોવા છતાં હજુ સુધી કેન્સરની કોઈપણ જાતની સારવાર દર્દીઓને મળતી નથી. જરૂરિયાતમંદ દર્દીઓ ના છૂટકે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે તાકીદે આ સારવાર શરૂ કરાઇ તે જરૂરી છે.



