લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી દિકરીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે. વિજયભાઈ રૂપાણી બાદ ગઈકાલે મુક્તાબેન ડાંગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગઈકાલે નરશીભાઈ સગપરિયાના ઉગઅ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો જે બાદ આજે(19 જૂન) સવારે કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નરશીભાઈ સગપરિયા લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી તેમની દીકરીના કોન્વોકેશ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું.
- Advertisement -
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગઈકાલે સવારે મુક્તાબેન ડાંગર બાદ સાંજના સમયે નરશીભાઈ સગપરિયાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આજે ગુરુવારના રોજ સવારે 8 વાગ્યે શહેરના કાલાવડ રોડ પર રૂડાનગર શેરી નંબર 1માં આવેલ ગ્રામ્ય વીલા તેમના નિવાસસ્થાનેની અંતિમ યાત્રા નીકળી હતી અને મોટા મવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નરશીભાઈના પુત્ર નીવ સગપરિયાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા પિતાનું અવસાન થયું છે. અમે સતત સરકારના સંપર્કમાં રહી ઉગઅ મેચ થયા કે કેમ તે અંગે પૂછપરછ કરતા હતા. બુધવારે અમને કોલ આવ્યો હતો અને ઉગઅ મેચ થઇ ગયા હોવાની જાણ કરી મૃતદેહ અમને સોંપવામાં આવ્યો છે. પોલીસ અને મામલતદાર સાથે રહી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સુધી અમને મૃતદેહ પહોંચાડવામાં આવ્યો છે.
નરશીભાઈ રાઘવભાઈ સગપરિયા (ઉ.વ.63) જેઓ પોતે એન્જિનિયર હતા અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ હતા. હાલમાં તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા હતા. નરશીભાઈ રાઘવભાઈ સગપરિયાના પત્નીનું નામ શીતલબેન સગપરિયા છે અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નરશીભાઈની એક દીકરી ગ્રેસી સગપરિયા (ઉ.વ.22) કે જે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી હતી જેના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પિતા નરશીભાઈ સગપરિયા રાજકોટથી 12 જૂન 2025ની સવારે 4 વાગ્યે નીકળ્યા હતા અને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેઠા હતા.
12 તારીખે સવારે 4 વાગ્યે તેમના દીકરા નીવ સગપરિયા જ પિતાને અમદાવાદ એરપોર્ટ મુકવા માટે ગયા હતા તેમને એરપોર્ટ મૂકી દીકરા પરત રાજકોટ આવી રહ્યા હતા દરમિયાન તેઓ લીંબડી પહોંચતા આ દુર્ઘટના વિશે જાણ થતા તેઓ પરત અમદાવાદ ગયા હતા, જ્યાં તેઓએ હોસ્પિટલ ખાતે ઉગઅ સેમ્પલ આપી પરત રાજકોટ આવી પહોંચ્યા હતા. દીકરો નીવ કોઠારીયામાં ફેક્ટરી ધરાવે છે અને તેઓ પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ રૂડાનગર 1માં રહે છે. આકસ્મિક દુર્ઘટનાથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.