અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા અંગે પણ અખઈ અને રાજ્ય સરકાર પાસેથી માગ્યો જવાબ
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ શહેરમાં રસ્તાઓની અત્યંત કંગાળ સ્થિતિ, સતત ટ્રાફિકની પરેશાની ઉપરાંત જાહેર સ્થળો પર રખડતા ઢોરોની વિકટ સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ન્યાયમૂર્તિ એ.એસ.સુપેહિયા અને ન્યાયમૂર્તિ એમ.આર.મેંગડેનીની બનેલી ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકાર પાસેથી આ સમસ્યાને લઈ જવાબ માગ્યો છે.
- Advertisement -
જ્યારે રાજ્ય સરકાર તથા પોલીસ કમિશ્નર વતી વકીલે ટ્રાફિકની સમસ્યા અંગે વૈજ્ઞાનિક અભિગમ-વ્યવસ્થા અમલી બનાવવામાં આવી રહી હોવાની વાત કોર્ટ સમક્ષ રજૂ કરી ત્યારે કોર્ટે વેધક ટકોર કરતા કહ્યું કે આ માટે એક કોમન સેન્સની જરૂર છે. જાહેર માર્ગો પર આડેધડ લારી,ફાસ્ટફૂડ સ્ટોલ તથા ગલ્લાઓ છે અને શહેરના અનેક માર્ગો ગેરકાયદેસરના પાર્કિંગથી ભરેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અખઈની કારોબારી સમિતિએ રખડતાં ઢોરોને લગતી એક નીતિને મંજૂરી આપી છે, જે અંગે રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું પણ દાખલ કરવામાં આવેલુ છે. આ નીતિની વ્યાપક પ્રમાણમાં તપાસ કરવામાં આવ્યા બાદ રાજ્યકક્ષાએ તેને લાગુ કરવામાં આવશે. અલબત તેનો અમલીકરણ 15મી ઓગસ્ટ સુધી થઈ શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં ઢોર અંગે બનાવેલી પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ મુદ્દે રાજ્ય સરકારે પણ ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કર્યું છે.
- Advertisement -
હવે આ પોલિસીનું સરકારી કમિટી પરીક્ષણ કરશે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પોલિસી રાજ્યની નગરપાલિકાઓ અને અન્ય કોર્પોરેશન પર લાગુ કરાઈ શકાય છે કે કેમ? એના પેરામીટર્સની ચકાસણી થશે. ત્યાર બાદ રાજ્યકક્ષાએ એને લાગુ કરવા એની મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલાશે, જે તમામ કામ 15 ઓગસ્ટ સુધીમાં થઇ જશે.