ત્રણ વર્ષમાં પહેલીવાર ખર્ચમાં કપાતના પગલાં લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર હાલના નાણાકીય વર્ષમાં રાજકોષીય નુકસાનને નિશ્ચિત લક્ષ્યમાં રાખવા માટે સરકારી ખર્ચમાં ત્રણ વર્ષમાં પહેલી વાર કપાત કરી શકે છે. આ કપાત ચાલુ નાણાકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં કરી શકે છે. ખર્ચમાં કપાત એ રીતે કરવામાં આવશે, જેથી જીડીપી ગ્રોથ પર તેની અસર ઓછામાં ઓછી પડે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલા પણ કહી ચૂકી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય નુકસાનને જીડીપીના ગુણોતરમાં 6.4 ટકા રાખવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.
- Advertisement -
સરકાર નાણાકીય નુકસાન પર લગામ લગાવવાના ઉપાય કરી રહી છે, જે હાલ 4થી5 ટકાના ઐતિહાસિક સ્તરથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-21માં કોરોના મહામારીના પહેલા વર્ષ દરમિયાન નુકસાન 9.3 ટકા વધી ગયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બારામાં મહામંથન ચાલી રહ્યું છે.
કયા કયા સરકારી ખર્ચમાં કાપ મુકવામાં આવે તે બારામાં હજુ નિર્ણય નથી લેવામાં આવ્યા. સરકારી આવક અને ખર્ચ વચ્ચેના અંતરને રાજકોષીય નુકસાન કહેવામાં આવે છે.
1 એપ્રિલથી શરૂ થયેલા 2022-23ના નાણાકીય વર્ષમાં કુલ સરકારી ખર્ચ 39.45 લાખ કરોડ થઈ શકે છે. રાજકીય નુકસાન નિશ્ચિત લક્ષ્યની અંતર રહે તે માટે પગલા પણ ઉઠાવવામાં આવશે.