પ્રથમ વીણીનો કપાસ શરૂ થતાં જ ભાવ આસમાને
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ઝાલાવાડ પંથકમાં મોટાભાગે ખેતી પર નભતું પંથક છે તેવામાં અહી મુખ્યત્વે કપાસ, બાજરી, મગફળી, જીરું સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે ત્યારે હાલ કપાસની સીઝન હવે લગભગ શરૂ થવા જઈ રહી છે તેવામાં વર્ષોથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોએ રાહ જોતા માર્કેટિંગ યાર્ડ ધમધમતું થતાં હવે ઘણા ખરા ખેડૂતોને રાહત થઈ છે ત્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આ સિઝનને પ્રથમ વીણીનો કપાસની આવક શરૂ થઇ હતી
જેમાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુરૂવારે સવારે કપાસ વેચાણનું મુહર્ત કરવામાં આવ્યું હતું ખેડૂત દ્વારા પ્રથમ વીણીનો કપાસ માર્કેટિંગ ખાતે વેચાણ અર્થે લાવતા અહી હરાજી પ્રક્રિયા શરૂ થઈ હતી જ્યારે મુહર્તનો કપાસ 4300 રૂપિયે પ્રતિ મણના ભાવે વેચાયો હતો ત્યારે કપાસની સીઝન શરૂ થતા જ મણના 4300 રૂપિયા આવતા ખેડૂતો પણ આનંદમાં આવી ગયા હતા.