અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ મોટી વાત કહી છે. તેમણે સંવિધાનને સર્વોપરી માનવાની વાત જણાવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમણાએ આજે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીઓનું માનવું છે કે, સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનની હકદાર છે, તો વિપક્ષી દળ આશા કરે છે કે, તેના દ્વારા તેને તેઓ એક્સપોઝ કરશે. પણ દેશની ન્યાયપાલિકા ફક્ત સંવિધાન પ્રત્યે જવાબદાર છે. સીજેઆઈ રમણાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં હજૂ પણ સંવિધાન દ્વારા દરેક સંસ્થાને સોંપવામાં આવેલી ભૂમિકાની સમગ્રપણે બિરદાવવાનું શિખ્યું નથી.
- Advertisement -
અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ રમણાએ કહ્યું કે, જેવું કે આપણે આ વર્ષ આઝાદીનું 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યા છીએ અને આપણા ગણતંત્રને પણ 72 વર્ષ થયા છે. તો કંઈક અફસોસ સાથે મારે એ જોડવું પડે છે કે, આપણે હજૂ પણ સંવિધાન દ્વારા દરેક સંસ્થાને સોંપવામાં આવેલી ભૂમિકા અને તેમની જવાબદારીની પુરી નિષ્ઠાથી બિરદાવવાનું શિખ્યા નથી. સત્તામાં રહેનારી પાર્ટી એવું માને છે કે, દરેક સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનની હકદાર છે તો વિપક્ષી પાર્ટી આશા રાખે છે કે, ન્યાયપાલિકા તેમના માટે રાજકીય પરિસ્થિતિઓ અને કારણોને આગળ વધારશે. જસ્ટિસ રમણાએ એવું પણ કહ્યું કે, સંવિધાન અને લોકતાંત્રિક સંસ્થાઓના કામકાજ વિશે લોકોમાં યોગ્ય સમજનો અભાવ છે.