સુરત મ્યુનિ.ના સેન્ટ્ર ઝોનમાં આવેલી વર્ષો જુનાં ડી.કે.એમ. હોસ્પીટલનું બિલ્ડીંગ જર્જરિત થતાં આજથી તેને બંધ કરવામા આવ્યું છે. જર્જરિત બિલ્ડીંગને તોડીને નવું બનાવાવનું હોવાથી તેની કામગીરી શરૂ કરવામા આવશે. હોસ્પીટલનું બિલ્ડીંગ નવું બને ત્યાં સુધી આ વિસ્તારના લોકોએ એકાદ કિલોમીટર દુર આવેલા ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર દવા અને સારવાર માટે જવું પડશે. આ બન્ને હેલ્થ સેન્ટરની આસપાસ વસાહત તથા ગરીબ લોકો રહેતાં હોવાથી હવે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર દર્દીઓની ભીડ વધુ રહેશે તેના માટે પાલિકાએ આયોજન કરવું પડશે
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં કોટસફીલ મેઈન રોડ, રાણા વાડ ખાતે જુની એર ઈિડિયાની ઓફિસની આગળ ડી.કે.એમ. અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ આવ્યું છે. આ બિલ્ડીંગ ઘણું જુનું હોવા ઉપરાંત જર્જરિત થઈ ગયું છે. તેના કારણે આ બિલ્ડીંગને ઉતારીને તેની જગ્યાએ અદ્યતન બિલ્ડીંગ બનાવવા માટેનું આયોજન કરવામા આવ્યું છે. આ બિલ્ડીંગ તોડીને નવું બનાવવાનું હોવાથી ડી.કે.એમ. હોસ્પીટલમાં આપવામાં આવતી તમામ સારવાર બંધ કરવામાં આવી છે. આ હોસ્પીટલમા દવા કે સારવાર લેવા આવતાં દર્દીઓએ હવે આજથી ક્ષેત્રપાળ મંદિર નજીક ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર આવ્યું છે ત્યાં જવાનું રહેશે.
હાલ કોવિડ કાળમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં કોવિડ માટેની કામગીરી માટે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરને મુખ્ય સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ હોસ્પીટલની આસપાસ ગરીબ વસાહત અને મધ્યમ વર્ગના લોકો રહેતાં હોવાથી તેનો ઉપયોગ વધુ થતો હતો. આવી જ રીતે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરની આશપાસ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે તેથી એ હેલ્થ સેન્ટરનો ઉપયોગ પણ વધુ થઈ રહ્યો છે. હવે એક જ હેલ્થ સેન્ટરમાં બે હોસ્પીટલમાં સારવાર લેવા માટે કે દવા લેવા માટે આવતાં દર્દીઓની સંખ્યા ભેગી થશે તેથી વધુ દર્દીઓ ભેગા થઈ શકે છે. તેથી પાલિકાએ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર સ્ટાફ વધરાવાની જરૂર પડશે. આ ઉપરાંત ડી.કે.એમ. હોસ્પીટલ નજીક મસ્કતિ હોસ્પીટલ પણ આવી છે તેથી કેટલાક દર્દીઓ મસ્કતિ હોસ્પીટલમાં પણ સારવાર માટે જાય તેવું આયોજન મ્યુનિ. તંત્ર કરી રહ્યું છે. ડી.કે.એમ. હોસ્પીટલની આસપાસ અનેક લોકો રહેતાં હોય આ હેલ્થ સેન્ટરનું બિલ્ડીંગ જર્જરિત થતાં તેને રિપેર કરવાના બદલે વધુ અદ્યતન બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે સેન્ટ્રલ ઝોનના આ વિસ્તારના લોકોને સારી હોસ્પીટલની સુવિધા મળે તેવું
પાલિકા તંત્રનું કહેવું છે.