મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું
ભાજપના શહેર પ્રમુખ માધવ દવે સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે.આ ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે. ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવ દેહ આજે રાજકોટ પહોંચ્યો છે.મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દિકરા મયુરને મળવા માટે જતા હતા અને પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થયું.
- Advertisement -
ત્યારે આજે પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો છે. આ મામલે કરણભાઈ રાઠોડે કહ્યું કે 12 તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે 13 તારીખથી અમદાવાદમાં હતાં.ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ઉગઅ મેચ થયા બાદ તમને ફોન આવશે.જેથી અમને ગઈકાલે રાતે અમને કોલ આવ્યો હતો.સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી આપવામાં આવી હતી.
અમારા પરિવારમાંથી મૃતકની દિકરીનું ઉગઅ લેવામાં આવ્યું હતું.મૃતક મુક્તાબેનનો પુત્ર અને પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી લંડનમાં હતા.
જેથી તેઓ તેમને મળવા જતાં હતાં.દિકરાએ લંડનમાં પોતાનું ઘર લીધુ હતું.. જેથી તેઓ દિકરાના ઘરે જતા હતા. મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા.કરણભાઈ મૃતક મુક્તાબેનના મોટા ભાઈ છે. મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવવા માટે જતા હતા. રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.