રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે. અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં બપોરે 12 વાગે કેસરિયો ધારણ કરશે.
- Advertisement -
નોંધનીય છે કે, હાર્દિક પટેલ ખુબ જ નાની વયે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરીને ખુબ નામના મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. બાદમાં સ્થાનિક નેતૃત્વથી કંટાળીને તેણે કોંગ્રેસ છોડી દીધી હતી. તાજેતરમાં હાર્દિક પટેલે ભાજપના કામોને વખાણ્યા છે અને પોતાના રાજીનામામાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ આજે કન્ફર્મ થઈ ગયું છે કે હાર્દિક પટેલ સીઆર પાટિલની હાજરીમાં 2 જૂને કેસરિયો કરશે.
Hardik Patel to join BJP on 2nd June – he confirms to ANI. He had recently quit Congress. pic.twitter.com/xtgGjQ9hhm
— ANI (@ANI) May 31, 2022
- Advertisement -
જાણો કેવું હશે હાર્દિકનું રાજકિય ભવિષ્ય
પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 02 જૂને બપોરે 12 વાગે સીઆર પાટિલનો ભાજપનો ખેસ ધારણ કરશે.
હાર્દિક પટેલે ભાજપના કામોને પ્રશંસા કરી
હાર્દિક કોંગ્રેસ છોડી રામ મંદિર, સીએએ, એનઆરસીનાં વખાણ કર્યા હતા. હાર્દિકનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.
હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં ભાજપના કામોનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. એવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે.