પંજાબ પોલીસે ખેડૂતોને હટાવ્યા, બુલડોઝરથી શેડ તોડી પાડ્યા
શંભુ-ખનૌરી બોર્ડર: 13 માસ બાદ ફરી ખુલશે નેશનલ હાઈવે
- Advertisement -
72 કલાક પહેલા જ યોજના બનાવી ને બેરિકેડ્સ હટાવતી હરિયાણા પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
ગુરુવારે સવારે હરિયાણા પોલીસે પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડ્સ હટાવવાનું કામ શરૂ કર્યું. પોલીસ અહીં વાહનોની અવરજવર શરૂ કરશે. બુધવારે, પંજાબ પોલીસે 13 મહિનાથી બંધ શંભુ અને ખનૌરી સરહદોને ખાલી કરાવી હતી.
ચંડીગઢમાં કેન્દ્ર સાથે સાતમા રાઉન્ડની વાટાઘાટો પછી કિસાન મજૂર મોરચા (ઊંખખ)ના ક્ધવીનર સરવન સિંહ પંઢેર અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના જગજીત સિંહ ડલ્લેવાલ સહિત લગભગ 200 ખેડૂત નેતાઓની અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે બંને સરહદો પર બુલડોઝર ચલાવીને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા શેડ તોડી પાડ્યા. અટકાયત કરાયેલા તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. બુધવારે રાત્રે જગજીત સિંહ ડલ્લેવાલને જલંધરની પીઆઈએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને જલંધરની કોઈ બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણ ટાળવા માટે પંજાબ પોલીસે 72 કલાક અગાઉથી યોજનાઓ બનાવી લીધી હતી. સુપ્રીમ કોર્ટના સ્થળ ખાલી કરવા અને રિપોર્ટ સબમિટ કરવાના આદેશ બાદ, પંજાબ સરકારે પોલીસને કોઈપણ કિંમતે કોઈપણ અથડામણ અટકાવવાનો આદેશ આપ્યો હતો. ખેડૂતોના આંદોલનને લઈને માન સરકારની ટીકા થઈ રહી હતી. મોટા ઉદ્યોગપતિઓને કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું.
આ કારણે, જ્યારે કેન્દ્ર સાથે બેઠકનો સમય નક્કી થયો, ત્યારે પોલીસે 72 કલાક અગાઉથી અથડામણ અટકાવવાની યોજના બનાવી. આ ગુપ્ત બેઠકમાં 2 ઈંઅજ અધિકારીઓ અને 4 ઈંઙજ અધિકારીઓ હાજર રહ્યા હતા. યોજના હેઠળ કમાન્ડો બટાલિયન સાથે 1,500 પોલીસકર્મીઓ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. અથડામણની શક્યતાને ધ્યાનમાં રાખીને શંભુ અને ખનૌરી બોર્ડરથી ચંડીગઢ આવેલા ખેડૂત નેતાઓ પંઢેર અને ડલ્લેવાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
મોહાલીમાં પ્રવેશતાની સાથે જ નેતાઓને અટકાયતમાં લેવાના આદેશ હતા, પરંતુ તેમને પોલીસ સ્ટેશનમાં નહીં, પરંતુ મોટા તાલીમ કેન્દ્રોમાં રાખવાના નિર્દેશ હતા. જો કાર્યવાહી સમયે ખનૌરી અને શંભુ બોર્ડર પર મોટા ખેડૂત નેતાઓ હાજર હોત તો લોહિયાળ અથડામણ થઈ શકી હોત. આવી સ્થિતિમાં, યોજના ફક્ત ત્યારે જ કાર્યવાહી કરવાની હતી જ્યારે પંઢેર અને ડલ્લેવાલ મોરચાથી દૂર હશે.
18 અને 19 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 1 વાગ્યા સુધીમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં સંગરુર અને અન્ય સ્થળોએ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. મોબાઇલ નેટવર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્ર સાથે ચંડીગઢમાં બેઠક ચાલી રહી હતી, ત્યારે રાજ્ય પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ યોજનાના અમલીકરણમાં સતત રોકાયેલા હતા. ખેડૂત નેતાઓને સવારે 4 વાગ્યે આ વાતની જાણ થઈ ગઈ હતી, પરંતુ તેઓ બેઠકની તૈયારીમાં વ્યસ્ત હતા.
- Advertisement -
જગજીત સિંહ ડલ્લેવાલ સહિત લગભગ 200 ખેડૂત નેતાઓની અલગ-અલગ જગ્યાએથી અટકાયત કરાઇ