ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના પોપટપરા – રેલનગરમાં સેન મહારાજની 725મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શ્રી સેન મહારાજ મિત્ર મંડળ દ્વાર ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, સાથે ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સેન મહારાજની મહાઆરતી યોજાઈ હતી. જે બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન કરાયું હતું. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો અને જે પછી લોકડાયરામાં નામી અનામી કલાકારોએ રાષ્ટ્ર્ર ભક્તિ અને ધર્મભક્તિનો જય ઘોષ બોલાવ્યો હતો. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય ઉદય કાનગડ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શિવસેના ગુજરાત પ્રમુખ જિમ્મીભાઈ અડવાણી, ક્ષૌરકર્મ સમિતિ પ્રમુખ ગિરધર બગથરીયા, દીપક પનારા, રમેશ સુરાણી, સુનિલ સુરાણી સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચેતન કલોલા, અંકુર લખતરીયા, મિતેષ વિઠ્ઠલાપરા, સંજય ઠોરીયા, બિપીન બગથરીયા તેમજ શ્રી સેન મહારાજ મિત્ર મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય ઉદય કાનગડ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને વાળંદ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતી