પ્રદેશના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
સહકાર ભારતીનું રાજય કક્ષાનું છઠ્ઠા અધિવેશનનો પાળીયાદમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સહકાર ભારતી પ્રદેશની ટીમની ચૂંટણી કરવામાં આવેલી હતી અને સહકાર ભારતી ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે રાજ્યભરમાંથી 500 સહકારી પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાળીયાદ જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબાની પાવન ઉપસ્થિતિમાં સહકાર ભારતીના અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોશી, પ્રાંત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે, મંત્રી વિનોદભાઈ બરોચીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
અધિવેશનનો મુખ્ય થીમ સહકારથી કુપોષણ મુક્ત ગુજરાત છે, સહકાર ભારતીના પ્રયત્નોથી દરેક મંડળી પાંચ કુપોષિત પરિવાર દત્તક લેશે. ભારતનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટુ સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે દરેક પ્રાંતના અધિવેશન અને એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે. જેથી દેશના દરેક કાર્યકર્તાઓ મળી પોતાની વિશેષ ઉપલબ્ધિઓ અને અનુભવોનું વૃત આપે છે. ફળસ્વરૂપે સહકારી ક્ષેત્રનો સમાન અને શ્રેષ્ઠ બૌદ્ધિક વિકાસ થાય અને સહકારથી સમૃદ્ધિનું નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થાય છે.
સહકાર ભારતીનું ગુજરાતનું પ્રદેશ કક્ષાનું આ છઠું અધિવેશન શનિવાર અને રવિવારના રોજ બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે સુપ્રસિદ્ધ પરમ પૂજય વિસામણ બાપુની જગ્યામાં યોજાયું હતું. આ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોષી, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ કાંતીભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ બરોચીયા, સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલ તથા પ્રાંત કાર્યાલય મંત્રી અને અધિવેશનના સંયોજક હરેશભાઈ બોરીસાગરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
સહકાર ભારતી ગુજરાત પ્રદેશની ચૂંટણી થઈ હતી. જેમાં પ્રદેશના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મહેશભાઈ અમીચંદભાઈ પટેલ, મહામંત્રી જયંતીભાઈ કેવટ, ઉપાધ્યક્ષપદે નલીનભાઈ વસા, ડો. દેવરાજભાઈ ચીખલીયા, વશરામભાઈ ચોવટીયા, નયનાબેન મકવાણા તેમજ મંત્રી તરીકે અશોકભાઈ ચૌધરી, વિનાયકભાઈ પટેલ, જલ્પાબેન કૌશિકભાઈ જૈન, સંગઠન પ્રમુખ તરીકે ચીમનભાઈ ડોબરીયા, સહસંગઠન પ્રમુખપદે નીતિનભાઈ સોની તેમજ સર્વ પ્રકોસ્ટ પ્રમુખ તરીકે સુરેશભાઈ આહિર, પ્રદેશ કાર્યકારણી સદસ્ય તરીકે કાંતિભાઈ પટેલ, વિનોદભાઈ બરોચીયા, પ્રતાપરાવ ભોયતેની વરણી કરવામાં આવી હતી.