પ્રમુખ વરણીના દિવસે જ કેટલાક સભ્યો ગુમ થયા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
દેશની શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીમાં ફરી એક વખત અંદરોઅંદરની વિખવાદ નજરે પડ્યો હતો જેમાં થાનગઢ નગરપાલિકા ખાતે ભારે વિવાદ બાદ અંતે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ગઈકાલે બપોરે વરણી થઈ હતી જેમાં પદાધિકારીઓની વરણી પૂર્વે કેટલાક ભાજપના સભ્યો ગુમ થઈ ગયા હતા જોકે આ સભ્યોને ગુમ કરવામાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનો હાથ હોવાનું પણ માનવામાં આવે છે કારણ કે ધારાસભ્યને પોતાના સમાજના સભ્યને પદાધિકારીઓ બેસાડવાની સપનું હોવાનું કર્ણ માનવામાં આવે છે પરંતુ ભારે ધમપછાડા બાદ અંતે ભાજપ પક્ષના પ્રદેશમાંથી છૂટેલા આદેશને સર્વોપરી માનવામાં આવ્યા અને ધારાસભ્યનું રતિભાર ચાલ્યું નહીં કહેવાય છે કે ધારાસભ્યે પોતાની પાસે રહેલા કેટલાક સભ્યોને બહારગામ પ્રવેશે મોકલી દીધા હતા અને આ પ્રકારે પોતાના હાથમાં સભ્યોને રાખી પ્રમુખ અને ઉપપ્રમુખની આખી વર્ણીસ્થગીત કરવાનો મનસૂબો ઘડયો હતો જોકે ધારાસભ્યનો પોતાનો મનસૂબો પાર પાડ્યો ન હતો જેથી રીતસર ભાજપના ધારાસભ્યની આબરૂ ભાજપ પક્ષે કાઢી હોવાની સ્થિતિ સામે આવી હતી આ તરફ અંતની ઘડીએ થાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતરની સર્વાનુમતે વરણી થઈ હતી.