મોદીનો બિહારથી રણટંકાર
ભારત એક એક આતંકવાદીને શોધશે અને સજા આપશે:PM મોદી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો હતો. બિહારના મધુબનીમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે પહેલગામના ગુનેગારોનો દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
મોદીએ કહ્યું- ‘આતંકવાદી હુમલામાં, કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો.’ તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી, તો કેટલાક બિહારના હતા. આજે, કારગિલથી ક્ધયાકુમારી સુધી આપણો આક્રોશ સમાન છે.
પીએમ મોદીએ કહ્યું, ‘22 એપ્રિલે જમ્મુ-કાશ્ર્મીરના પહેલગામમાં જે રીતે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આખો દેશ તેનાથી દુ:ખી છે. તેમના દુ:ખમાં આખો દેશ તેમની સાથે ઉભો છે. સરકાર એ પણ સુનિશ્ર્ચિત કરવા માટે પ્રયાસો કરી રહી છે કે જેઓ હાલમાં સારવાર હેઠળ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. આ હુમલો ફક્ત નિ:શસ્ત્ર લોકો પર જ થયો નથી. આ ભારતની આસ્થા પર હુમલો છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, હુમલાખોરો અને તેમના આકાઓને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. પહલગાવ હમલા કે આતંકવાદિયોં કો મિટ્ટી મેં મિલા દેંગે.
પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીએ કહ્યું, ‘અમે તેમને ધરતીના છેલ્લા ખૂણા સુધી હાંકી કાઢીશું.’ આતંકવાદથી ભારતનો આત્મા ક્યારેય તૂટી શકશે નહીં. આતંકવાદને સજા થશે. ન્યાય સુનિશ્ર્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. આ સંકલ્પમાં આખો દેશ એક થયો છે. માનવતામાં વિશ્ર્વાસ રાખનાર દરેક વ્યક્તિ આપણી સાથે છે. હું વિવિધ દેશોના લોકો અને તેમના નેતાઓનો આભાર માનું છું જેઓ અમારી સાથે ઉભા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીમાં કહ્યું, ‘મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમારા બધાને પ્રાર્થના કરવા માંગુ છું. તમે જ્યાં પણ હોવ, તમારી જગ્યાએ બેઠા હોવ, આપણે 22મી તારીખે ગુમાવેલા પરિવારના સભ્યોને યાદ કરીએ છીએ. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. પહેલગામ આતંકવાદી હુમલા મામલે ઙખ મોદીએ કહ્યું- આતંકીઓને તેમની કલ્પના બહારની સજા મળશે.
પંચાયતી રાજ કાર્યક્રમમાં ભાગ લેનારા પીએમ મોદીએ કહ્યું, ‘આજે, પંચાયતી રાજ દિવસ નિમિત્તે, આખો દેશ મિથિલા સાથે જોડાયેલો છે, બિહાર સાથે જોડાયેલો છે.’ આજે અહીં દેશના બિહારથી હજારો કરોડ રૂપિયાના વિકાસ સંબંધિત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
મોદીએ કહ્યું- ‘આજે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકર સિંહની પુણ્યતિથિ પણ છે.’ હું તેમને વંદન કરું છું. બિહાર એ ભૂમિ છે જ્યાંથી બાપુએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. તેમનો વિચાર એવો હતો કે જ્યાં સુધી ગામડાઓનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ભારતનો વિકાસ નહીં થાય.
‘હાલના દિવસોમાં પંચાયતોને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.’ 2 લાખથી વધુ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. 5.5લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો ગામડાઓમાં બન્યા છે. આ કારણે, ઘણા દસ્તાવેજો હવે સરળતાથી મળી રહ્યા છે.