ગઇ કાલના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં કાર્યાલયની અંદર આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિત પર ગોળીબારી કરી હતી
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગુડ્ડુરા વિસ્તારમાં રહેનાર પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહમદ થોકર પર આઝ સવારે આતેકીઓએ ફાયરીંગ કરી હતી. રિપોર્ટ અનુસાર, ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને શ્રીનગરમાં ભારતીય સેનાના બેસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા થે, જ્યાં તેમની હાલત ગંભીર છે.
- Advertisement -
કોન્સેટેબલને નજીકથી ગોળી મારવામાં આવી હતી, અને આતંકવાદીએ બંદૂકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાસ્થળે સુરક્ષાદળએ આખા વિસ્તારમાં નાકાબંધી કરીને આતંકવાદીની શોધખોળ ચાલુ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ પુલવામામાં જ પોસ્ટેડ છે.
Jammu & Kashmir | SPO Riyaz Ahmad Thoker, a local resident, shot at and injured by terrorists at Gudoora Pulwama; shifted to Pulwama hospital. Further details awaited: Police
— ANI (@ANI) May 13, 2022
- Advertisement -
મળેલી માહિતી મુજબ, કાશ્મીર જોન પોલીસએ એક ટ્વિટમાં જાણકારી આપી કે, આતંકવાદીએ પોલીસ કોન્સટેબલ રેયાઝ થોકર પુત્ર અલી મોહમ્મદ પર તેમના ગુડરૂ, પુલવામામાં આવેલા નિવાસ સ્થાન પર ગોળાબારી કરી હતી. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#Terrorist fired upon Police Constable Reyaz Ahmad Thoker S/O Ali Mohammed at his residence at Gudroo, #Pulwama. He has been shifted to Hospital. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 13, 2022
આ વચ્ચે, ગઇ કાલના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કાર્યાલયની અંદર આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા કાશ્મીરી પંડિતની સમુદાયના એક સરકારી કર્મચારી રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર માટે લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી.
J&K | Last rites of Rahul Bhat, an employee of Chadoora Tehsil office, conducted in Bantalab. ADGP Jammu Mukesh Singh, Divisional Commissioner Ramesh Kumar, & Dy Commissioner Avny Lavasa reach the cremation ground.
He was shot at by terrorists at Tehsil office in Budgam y'day. pic.twitter.com/o1jMrzE8nf
— ANI (@ANI) May 13, 2022
આ ઘટના બપોરના બની જયારે આતંકવાદી ચદૂરા કસ્બામાં તહસીલ કાર્યાલયમમાં પહોંચ્યા અને ભટ્ટ પર ગોળીબારી કરી. 45 વર્ષીય વ્યક્તિ, જે ક્લાર્કની નોકરી કરતો હતો, તેમને શ્રીનગરના શ્રીમહારાજા હરિ સિંહ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું.
કાશ્મીર ઘાટીના કેટલાય નેતાઓ અને રાજનૈતિક દળોએ તેમની હત્યાની નિંદા કરી છે, જેમનો દાવો છે કે આ હુમલો એક અલ્પજ્ઞાત સંગઠન કાશ્મીર ટાઇગર્સએ કર્યો હતો.