સૌ ભક્તજનો અને કર્મચારીઓ સુરક્ષિત
સોમવારે બપોર 12 વાગ્યા આસપાસ મધ્યપ્રદેશ સ્થિત ઉજ્જૈન મહાદેવ મંદિરમાં ભીષણ આગ લાગવાની ખબર સામે આવી છે. આગની જ્વાળાઓ 1 કિમી દૂર નજરે ચડી હતી. ભોળેનાથની કૃપાથી કોઈ જાનહાનિની થયું હોવાનું સામે આવ્યું નથી. સોમવાર હોવાથી મંદિરમાં અતિશય ભીડ જોવા મળી હતી. આગની માહિતી ફેલાતાં દર્શનાર્થીઓમાં ભાગદોડ મચી. ટૂંક સમયમાં જ ફાયરબ્રિગેડ, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ હાથ ધરવા પહોંચી ગયા હતા.
- Advertisement -
સિસ્ટમની બેટરી થકી આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિર પરિસરના કંટ્રોલ રમ પર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઍર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેની બેટરી દ્વારા આગ લાગી હતી. આથી તે બેટરીમાં નુકસાન પહોંચ્યું છે. અન્ય કોઈ નુકસાની નજર આવી નથી. હાલ ઇલેક્ટ્રિક વાયરનું કામકાજ ચાલી રહ્યું છે. ઉપરાંત થોડા સમય માટે શ્રધ્ધાળુઓનો પ્રવેશ પણ બંધ રાખવામાં આવ્યો હતો.
- Advertisement -
ઉજ્જૈનના કલેકટર અને એસપી પહોંચ્યાં
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખતા ઉજ્જૈનના કલેકટર અને એસપી પણ નિરીક્ષણ કરવા સ્થળે પહોંચ્યા હતા. બંને અધિકારીઓએ પોલીસ અને કર્મચારીઓને વધુ ચુસ્ત સુરક્ષા તથા મેનેજમેન્ટ માટે પગલાંઓ ભરવા કહ્યું છે. યાત્રીઓને ભય ન રાખવા અને પ્રશાશનને સહયોગ કરવા અપીલ કરી છે. સ્થિતિ નિયંત્રણમાં આવી જતા, દરેક માટે દર્શન પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે.