બલૂચિસ્તાનના જિલ્લા અબ્દુલ્લામાં સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો
પાકિસ્તાનના અશાંક બલૂચિસ્તાન પ્રાંતના એક માર્કેટમાં ભયાનક વિસ્ફોટ થયો છે, જેમાં ચાર લોકોના મોત અને 20 લોકોને ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.
- Advertisement -
ફ્રન્ટિયર બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર
અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશનર રિયાજ ખાને કહ્યું કે, ‘વિસ્ફોટમાં ચાર લોકોના મોત અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના ચાર અર્ધલશ્કરી દળોનું એક ફ્રન્ટિયર કોર બિલ્ડિંગ પાછળ જબ્બાર માર્કેટ સ્થિત ધડાકો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર પણ કર્યો છે.’ વિસ્ફોટ અને ફાયરિંગની ઘટના બાદ અધિકારીઓએ આખા વિસ્તારને ખાલી કરાવી સીલ કરી દેવાયો છે અને અજાણ્યા હુમલાખોરોને શોધી કાઢવા માટે ઓપરેશન શરૂ કરી દીધું છે.
અગાઉ ખુજદાર જિલ્લામાં ગોળીબાર થયા ચાર કર્મીના મોત થયા હતા
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. નાલ વિસ્તારમાં એક ચેક પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાતા ચાર કર્મચારીઓના મોત થયા હતા. બલૂચિસ્તામાં લગભગ બે દાયકાથી અશાંતિ ફેલાયેલી છે. અહીં અવારનવાર વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી ઘાતક હુમલા કર્યા હતા.