રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણમાં મોરબી જિલ્લો અગ્રેસર, 9 વર્ષમાં 9 શિક્ષકોને રાજ્ય કક્ષાએ સન્માનિત કરાયા
બાળકોના ભણતર, ગણતર, ચારિત્ર્યના ચણતર અને જીવન ઘડતરમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લો શિક્ષણ ક્ષેત્રે ખુબ જ વિકાસ પામેલો જીલ્લો છે, શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રકલ્પોનું આયોજન અને અમલીકરણ અહીં થઈ રહ્યું છે જેના કારણે મોરબી જીલ્લો અન્ય જિલ્લાની સરખામણીએ અગ્રીમ હરોળમાં મૂકી શકાય એમ છે. શિક્ષણક્ષેત્રની આ વિકાસયાત્રામાં અનેક શિક્ષક રત્નોનું યોગદાન છે કે જેમણે શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને બાળકોના ભણતર, ગણતર ચારિત્ર્યના ચણતર અને જીવન ઘડતરમાં ઉત્તમ યોગદાન આપી ભાવિ ભારતના આદર્શ નાગરિકોનું સર્જન કર્યું છે. આદર્શ નાગરિકો માટેના ઘડવૈયા એવા મોરબી જિલ્લાના શિક્ષક રત્નો મોરબી જિલ્લાની રચના થઈ ત્યારથી રાજ્યકક્ષાએ સન્માનિત થતા આવ્યા છે જેમાં વર્ષ 2014-2015 માટે કમલેશભાઈ દલસાણિયા, વર્ષ 2015-2016 માટે દિનેશભાઈ વડસોલા, વર્ષ 2016-2017 માટે જીતેન્દ્રભાઈ પાંચોટિયા, વર્ષ 2017-2018 માટે મહેશભાઈ ગોસ્વામી, વર્ષ 2018-2019 માટે હર્ષદભાઈ પટેલ, વર્ષ 2019-2020 માટે ધનજીભાઈ ચાવડા, વર્ષ 2020-2021 માટે પ્રવિણભાઈ પટેલ અને વર્ષ 2021-2022 માટે વિજયભાઈ દલસાણિયાનું રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું છે જ્યારે આ વર્ષે વર્ષ 2022-2023 માટે વિમલભાઈ પટેલનું સન્માન કરવામાં આવનાર છે.
તો ચાલો જાણીએ મોરબી જિલ્લાના શિક્ષક રત્નોને…
- Advertisement -
માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઈ ધનજીભાઈ વડસોલાએ 17 વર્ષ સુધી ઈછઈ, ઇછઈ તરીકે કાર્યરત રહી ગુણવત્તાલક્ષી શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્ય કર્યા છે. વર્ષ 2006થી 2009 સુધી 300 શાળામાં ‘મેગા કસોટી’ યોજવા માટે સંયોજક તરીકેની ભૂમિકા ભજવી શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધીનું કાર્ય કર્યું છે. ઉપરાંત તેઓ જિલ્લાના પ્રથમ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેની સેવા આપી છે.
ટીંબડી પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશભાઇ દલસાણીયાએ કોરોના સમયમાં સવારથી સાંજ સુધી જાતે કલર અને પીંછી લઈને ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ શાળાની દીવાલો પર જીવંત કરી દીધો હતો. આ ઉપરાંત તેમની કૃતિ દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્થાન પામે છે તો તેમના ઈનોવેશન પણ ‘ઈનોવેશન ફેર’માં જિલ્લા કક્ષાએ સ્થાન મેળવે છે.
રાજપર તાલુકા શાળાના શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયાએ જિલ્લાની એકમાત્ર નળીયાવાળી શાળામાંથી લાઈફ સંસ્થા સાથેના સતત સંપર્ક અને ગ્રામજનોના સહયોગ થકી 85 લાખ જેટલી રકમ મેળવી અદ્યતન વિદ્યામંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ ઉપરાંત તેમણે શાળામાં કે.જી. શિક્ષણ તેમજ ઉનાળુ વેકેશનમાં સમર કેમ્પ થકી વિવિધ પ્રવૃતિઓ શરૂ કરાવી છે.
આ ઉપરાંત મેરૂપર પ્રાથમિક શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડાની વાત કરવામાં આવે તો, ધનજીભાઈએ શાળાને ગ્રીન શાળા બનાવી દિધી છે. હરિયાળા વાતાવરણમાં બાળકોને પણ બહુ ગમે છે. આ ઉપરાંત તેમની શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ તેમજ એન.એમ.એમ.એસ. જેવી પરીક્ષાઓમાં પણ અગ્રેસર રહે છે.
સભારાવાળી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાએ ‘રિશેષને બનાવો વિશેષ’ હેઠળ રિશેષમાં વિદ્યાર્થીઓને 700 જેટલી શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવેલ છે. તેમની ‘ફરતી પેન્સિલની કૃતિ’ રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામી છે તો વર્કપ્લેસ એપમાં પણ તેમણે રાજ્યમાં ટોપ થ્રીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
નવા મકનસર પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પાંચોટીયા શૈક્ષણીક સાધનો બનાવવામાં તજજ્ઞ છે. તેમણે બનાવેલા શૈક્ષણીક રમકડા અને વિજ્ઞાનના પ્રયોગોના ખજાના થકી વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિષયો સરળ બની જાય છે. તેમની ધોરણી 1-2 ના અભ્યાસક્રમ અંકિત કરેલી ટાઈલ્સની પહેલ જિલ્લાની મોટા ભાગની શાળાઓએ અપનાવી છે.
આ ઉપરાંત મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહેશભાઈ ગોસ્વામી અને પ્રવીણભાઈ પટેલની ભૂમિકા પણ અગત્યની રહી છે.ભારતમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ચાણક્ય, આર્યભટ્ટ, રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદજી, મદનમોહન માલવીયજી જેવા અનેક શિક્ષકોએ રાષ્ટ્રના નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે.
પરેશભાઈ દલસાણીયાએ મોરબી જિલ્લામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી સીઆરસી કો.ઓ. તેમજ સામાજિક વિજ્ઞાન વિષયના એસ.આર.જી. સહિતની કામગીરી કરી પ્રાથમિક શિક્ષક પરિષદ ગાંધીનગરમાં ક્યુસેલ વિભાગોમાં ક્વોલિટી ક્ધટ્રોલર તરીકે સેવારત રહી વર્ગ-2ની પરીક્ષામાં ઉતિર્ણ થઈ નિયામક કચેરીમાં બ્રાયાન અધિક્ષક તરીકે કાર્યરત છે.
ચાલુ વર્ષે હળવદ તાલુકાની માનસર શાળામાં ફરજ બજાવતા અને કઠપૂતડીથી બાળકોને શિક્ષણ આપતા શિક્ષક વિમલભાઈ પટેલની રાજ્ય કક્ષાએ સન્માન માટે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે આવા અનેક શિક્ષક રત્નોએ મુખ પર સ્મિત, ગળામાં ગીત, હૈયામાં બાળકના હિત, બાળક પ્રત્યે પ્રીત રાખી મોરબી જિલ્લાના હજારો બાળકોને જીવન જીવવાની રીત શીખવી છે ત્યારે આજના શિક્ષક દિવસે આ તમામ શિક્ષકોને વંદન સહ અભિનંદન.