બાંટવાનાં મારૂતિ શૈક્ષણિક સંકુલની ઘટના
અવારનવાર બાંટવા પો.સ્ટે.માં જતાં પોલીસ ફરિયાદ લેતી નથી: શા માટે પોલીસ મારૂતિ શૈક્ષણિક સંકુલની શિક્ષિકાને છાવરવાનો પ્રયાસ કરે છે? અનેક સવાલો ઉઠ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને મારતા હોવાના બનાવ યથાવત જ રહ્યા છે ત્યારે બાંટવા મારૂતિ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી મીરા પ્રદિપભાઈ રાઠોડને શાળાની શિક્ષિકા ખુશીબહેને મીરાને ગાલ પર થપ્પડ મારતા વિદ્યાર્થિની હેબતાઈ ગઈ હતી. આ અંગે વિદ્યાર્થિનીના પિતા પ્રદિપભાઈ રાઠોડે બાંટવા પો.સ્ટે. ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે બાંટવા પોલીસે ફરિયાદ ન લીધી અને માત્ર સાદી અરજી જ લેતા હોવાની ફરિયાદ કરી હતી.
આ અંગે બાંટવા પો.સ્ટે.ના બી. આર. બોરખતરીયાને ફરિયાદી પ્રદિપભાઈ રાઠોડે જણાવ્યું હતું કે મારી દીકરી મીરા બાંટવા મારૂતિ શૈક્ષણિક સંકુલમાં બપોરના અગિયારેક વાગ્યે ભણવા ગયેલ હતી અને સાંજના પાંચેક વાગ્યે ભણીને અમારા ઘરે આવતા મારી દીકરી મીરા હેબતાઈ ગયેલી જેવી લાગતા અમે ફોસલાવીને પૂછયું કે આજે તું કેમ હેબતાયેલી છે, ત્યારે મીરાએ જણાવ્યું કે મને મારી સ્કૂલમાં અમારી આજે ટેસ્ટ હોય જેમાં મેં મારી બાજુમાં બેસેલી બહેનપણી સાથે વાતચીત કરતી હતી ત્યારે આ મારા ટીચર ખુશીમેડમે મને ઠપકો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાલ પર થપ્પડ મારી હતી. આ બાબતની જાણ સ્કૂલ તરફથી કરવામાં આવી ન હતી ત્યાર બાદ હું તથા મારી પત્ની મારૂતિ સ્કૂલમાં ગયા ત્યારે ત્યાંના સ્ટાફે અમને સરખો જવાબ આપ્યો નહીં
- Advertisement -
જેથી તેના ટ્રસ્ટી જીતુભાઈ બોરખતરીયાને ફોન કરેલો તો તેઓએ જણાવ્યું કે મંગળવારે આવો ત્યાર બાદ અમો આચાર્ય જીનલબેન પરમારને મળેલા તો તેમણે પણ સરખો જવાબ આપ્યો નહીં ત્યાર બાદ મારી દીકરીને સારવાર માટે માણાવદર સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી ત્યારે મારી દીકરી મીરા સાથે કરેલી ગેરવર્તણુંક કરવા બદલ શિક્ષિકા ખુશીબહેન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી અને બાંટવા પો.સ્ટે.માં ફરિયાદ કરવા ગયા પરંતુ બાંટવા પો.સ્ટે. શા માટે ફરિયાદ લેતી નથી? શા માટે આ શાળાના શિક્ષકોને પોલીસ છાવરે છે તે પ્રશ્ર્ન ઉભો થયો છે.