ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે વેરા વસુલાત શાખા દ્વારા પાંચ મિલ્કતને સીલ કરવામાં આવી છે, તેમજ 8 મિલ્કતોને ટાંચ-જપ્તી નોટીસ ફટકારી અને રૂા. 22.71 લાખની રીકવરી કરી છે. રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા હવે એક્શન મોડમાં આવી છે ત્યારે વેરા વસુલાત શાખા દ્વારા શહેરના સાત વોર્ડમાં વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ હાથ ધરી હતી.
વોર્ડ નં. 1માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 51,570, વોર્ડ નં. 2 જામનગર મેઈન રોડ પર આવેલ 2 યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 1.09 લાખ, વોર્ડ નં. 5 પેડક રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 28,300, વોર્ડ નં. 6 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 49,750, બ્રાહ્મણીયાપરામાં 1 યુનિટને નોટીસ આપી તેમજ વોર્ડ નં. 7 યાજ્ઞીક રોડ પર આવેલ 3 યુનિટ સીલ કર્યું.
વોર્ડ નં. 10 કાલાવડ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણી સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 10.16 લાખની રીકવરી અને નાના મોવા મેઈન રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 9.95 અને વોર્ડ નં. 14 80 ફૂટ રોડ પર આવેલ 1 યુનિટને નોટીસ આપી અને સોરઠીયા વાડી ચોકમાં 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 1.07 લાખની રીકવરી કરવામાં આવી છે. આમ આજરોજ બપોરે 1-00 કલાક સુધીમાં 5 મિલ્કતોને સીલ કરી તથા 8 મિલ્કતોને ટાંચ-જપ્તીની નોટીસ આપી રૂા. 22.71 લાખની રીકવરી કરી છે.
વેરા વસુલાત શાખાએ પાંચ મિલકતને સીલ કરી: 8 મિલકતોને ટાંચ-જપ્તિની નોટિસ ફટકારી
