સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ રાજ્યપાલનું સંબોધન
આવનારા સમયમાં સરગમ ભવનનું બાંધકામ કરવાની ગુણવંતભાઈ ડેલાવાળાની જાહેરાત
સામાજિક અને રાજકીય અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ : સરગમ ક્લબના 2024 -25ના હિસાબને બહાલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 4 દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી અને છેવાડાના લોકોને લાભ પહોંચાડતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં 2024 – 25 નાં વાર્ષિક હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ગત વર્ષ દરમિયાન કરવામાં પ્રવૃતિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો સાથોસાથ નવા વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમની માહિતી પણ આપવામાં આવી હતી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધરણ સભામાં સૌએ એકીઅવાજે સેવા પ્રવૃતિની બિરદાવી હતી અને તમામ કમિટી મેમ્બર્સને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, ઉપરાંત શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ, બિલ્ડર હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ કનેરિયા, શિવલાલભાઈ આદ્રોજા, , મુકેશભાઈ શેઠ, યોગેશભાઈ પુજારા, અનંતભાઈ ઉનડકટ, લલીતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ,રાજદીપસિંહ જાડેજા, જયસુખભાઈ ઘોડાસરા, ડી વી મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, દિનેશભાઈ અમૃતિયા, શિવલાલભાઈ રામાણી, વીનોદભાઇ પંજાબી સુરેશભાઈ વેકરીયા, દિલેશભાઇ પાબારી, સુરેશભાઈ વેકરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, કૌશીકભાઇ સોલંકી, રમણીકભાઇ જ્સાણી, યોગીનભાઇ છનીયારા, શૈલેશભાઇ માઉ, મીતેનભાઇ મહેતા, કરશનભાઇ આદ્રોજા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, કાંતાબેન કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી, અલ્પનાબેન ત્રિવેદી, ઉષાબેન પટેલ, કાન્તાબેન કથીરીયા, જયોતીબેન ટીલવા, જશુમતીબેન વસાણી, સુઘાબેન ભાયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરગમ પરિવારના સભ્યોને સરગમની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ક્ષેત્રે સેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ સંસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં ગુણવંતભાઈ ડેલાવાળાએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે તમે સરગમમાં એક રૂપિયો આપશો તો તે સવારૂપિયાનું વળતર આપે છે. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સરગમ ક્લબને રાજકોટનું નજરાણુ ગણાવી હતી. આ સાધારણ સભામાં ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવે સરગમ ક્લબને રાજકોટ કે સૌરાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સર્વોત્તમ સંસ્થા ગણાવી હતી અને કહ્યું હતું કે સરગમની ટીમ સેવાની આહુતિ આપી રહી છે જે બિરદાવાલાયક છે. બિલ્ડર હરેશભાઈ લાખાણી એ પણ સરગમની પ્રવૃત્તિને બિરદાવી હતી. સરગમ ક્લબના ખજાનચી સ્મિતભાઈ પટેલે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી.
- Advertisement -
સામાન્ય સભાના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, 2025-26 ના વર્ષમાં 13 હજારથી વધુ સભ્યો સરગમ પરિવારમાં જોડાયા છે. જેમાં જેન્ટ્સ કલબમાં 300, સીનીયર સીટીઝન કલબમાં 1300, લેડીઝ કલબમાં 2000, ચિલ્ડ્રન કલબમાં 2500, કપલ કલબમાં 4000 અને ઇવનિંગ પોસ્ટમાં 1200 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરગમ પરિવારમાં 1000 જેટલા ડોનર, મીડિયા, બેન્કર, સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ છે. સરગમ કલબ 215 લોકોનો પગારદાર સ્ટાફ પણ ધરાવે છે.
તેમણે કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા વિવિધ ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. સરગમ ભવન ( જામટાવર રોડ ) કોમ્પ્યુટર સેન્ટરમાં 111 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સરગમ ભવનમાં જ 81 વિદ્યાર્થીઓ હાર્મોનિયમ/ ગાયન, 113 કથ્થક, 45 ઓર્ગન, 73 ગીટાર, 16 ડ્રોઈંગ, 22 હિલીંગ, 62 ડાન્સ અને 218 બહેનો શિવણ શીખી રહ્યા છે.
જાગનાથ હેલ્થ કેર સેન્ટરમાં 250 લોકો જોડાયેલા છે. આ ઉપરાંત એવરેસ્ટ બિલ્ડીંગ લાયબ્રેરીમાં 44, મહિલા કોલેજ લાયબ્રેરીમાં 110 મહિલા અને 30 બાળકો, આમ્રપાલી લાયબ્રેરીમાં 40 બહેનો જોડાયેલી છે. જાગનાથ ચોક હેલ્થ કલબમાં 350, આમ્રપાલી હેલ્થ કલબમાં 667, સરગમ ભવનમાં 461 બહેનો, કેનાલ રોડ હેલ્થ કલબમાં 943 બહેનો અને નાગેશ્વર હેલ્થ કલબમાં 400 બહેનો જોડાયેલી છે.
કેનાલ રોડ મલ્ટીસ્પેશીયાલીટી સેન્ટરમાં ફિઝીયોથેરાપીમાં 1651, શિવણમાં 40, વેલનેસમાં 10 અને સેરજામમાં 42 લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા સ્કુલનું સંચાલન પણ કરવામાં આવે છે.
સરગમ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં પણ 1200થી વધુ લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા હેમુગઢવી હોલ, રામનાથ પરા મુક્તિધામનું સંચાલન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર રાહત દવાખાનામાં કુલ 48, 309 દર્દીએ લાભ લીધો હતો. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ આરોગ્ય સેન્ટરમાં 1349 દર્દીઓ, નાગેશ્વર દવાખાનામાં 7967 દર્દીઓ, બ્રહ્મસમાજ આરોગ્ય સેન્ટરમાં 1861 દર્દીઓ, કુવાડવા રોડ આરોગ્ય સેન્ટરમાં 8712 દર્દીઓ અને કેનાલ રોડ આરોગ્ય સેન્ટરમાં 3467 દર્દીઓએ લાભ લીધો હતો.
ગુણવંતભાઈએ કહ્યું હતું કે, સરગમ લેડીઝ કલબમાં 10 ટ્રસ્ટી ઉપરાંત સલાહકાર સમિતિમાં 15 અને 60 કમિટી મેમ્બર્સ સેવા આપી રહ્યા છે. આવનારા સમયમાં જાગનાથ પ્લોટ વિસ્તારમાં 400 વાર પ્લોટ માં સરગમ ભવન બાંધવાનો સંકલ્પ છે જે દાતાઓના સહયોગથી પૂરો કરાશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જ્યોતિબેન રાજ્યગુરૂએ કર્યું હતું જયારે આભારવિધિ માલાબેન કુંડલીયાએ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર ગીતા બેન હીરાણી ડો અલ્કાબેન ધામેલિયા, છાયાબેન દવે ભરતભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, અનવરભાઇ ઠેબા, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, ઘનશયામ ભાઇ પરસાણા, રમેશભાઇ અકબરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.